— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 16, 2022
કોર્ટે આપ્યા શરતી જામીન
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરની કોર્ટે શરતી જામીન આપતા જણાવ્યું હતું કે, યુવરાજસિંહ જાડેજા ગાંધીનગરમાં પ્રવેશ નહીં કરી શકે. આ સાથે તેઓને સૂચના આપી છે કે, તમામ પ્રકારની તપાસમાં તેઓ સહકાર આપશે. તો યુવરાજસિંહ નામદાર કોર્ટની પરવાનગી વગર ગુજરાત રાજ્યની હદ છોડી શકશે નહીં.
ગાંધીનગરમાં વિદ્યાસહાયકોના સમર્થનમાં યુવરાજસિંહ પહોચ્યા હતા. વિરોધ વધુ ઉગ્ર બને તેવી સંભાવનાને પગલે યુવરાજસિંહની અટકાયત કરવામાં આવી હતી. આ મામલે SP મયુર ચાવડાએ નિવેદન આપતા જણાવ્યુ હતું કે યુવરાજસિંહ અને દિપક ઝાલા સચિવાલયથી SP કચેરી આવ્યા હતા. પોલીસ સાથે ઘર્ષણ કરી ધક્કા મારી નિકળવાનો પ્રયત્ન કર્યો હતો. યુવરાજસિંહે ભાગવાના પ્રયાસમાં ગાડી લઈને નિકળવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને ઘસડીને ગાડી લઈ જાય છે તેવો મયુર ચાવડાએ આક્ષેપ લગાવ્યો હતો
કલમ 307 મુજબ ગુનો દાખલ કર્યો હતો
યુવરાજસિંહ સામેના આરોપ અંગે વધુમાં જણાવ્યું કે યુવરાજસિંહે લક્ષ્મણભાઇ નામના કોન્સ્ટેબલ પર ગાડી ચડાવી જે ગુના હેઠળ કલમ 307 મુજબ ગુનો દાખલ કર્યો છે. આ ઘટનાનો વીડિયો યુવરાજ સિંહની કારમાં લગાવેલા કેમેરામાં જ કેદ થયો. FSLની મદદથી રેકોર્ડિંગ પ્રાપ્ત થયુ હોવાનું પણ જણાવ્યું. મહત્વનું છે કે યુવરાજસિંહ કારમાં કેમેરો લગાવીને રાખે છે.