બંગાળી લેખિકા અને લોક સંસ્કૃતિ સંશોધક રત્ના રાશિદ બેનર્જીએ પશ્ચિમબંગા બાંગ્લા એકેડમી દ્વારા આપવામાં આપવામાં આવેલા પુરસ્કારને મંગળવારે પાછો આપી દીધો હતો.
બંગાળી લેખિકા અને લોક સંસ્કૃતિ સંશોધક રત્ના રાશિદ બેનર્જીએ પશ્ચિમબંગા બાંગ્લા એકેડમી દ્વારા આપવામાં આપવામાં આવેલા પુરસ્કારને મંગળવારે પાછો આપી દીધો હતો. આ સન્માન તેમણે મમતા બેનર્જીને બંગલા એકેડમી સન્માન મળવાના વિરોધમાં પાછો આપ્યો છે. તેની સાથે જ લોકપ્રિય લેખિકાએ પૂછ્યું હતું કે, દીદીએ સાહિત માટે શું કર્યું છે ?
અકાદમીના અધ્યક્ષ બ્રત્ય બસુ (રાજ્યના શિક્ષણમંત્રી પણ છે)ને લખેલા એક પત્રમાં રત્ના રાશિદ બેનર્જીએ કહ્યું કે, મુખ્યમંત્રીને રવીન્દ્રનાથ ટૈગૌરની જયંતિ પર એક નવો સાહિત્યિક પુરસ્કાર પ્રદાન કરવાનો નિર્ણયને ધ્યાનમાં લેતા આ પુરસ્કાર તેમના માટે કાંટાનો તાજ બની ગયો છે. પત્રમાં મેં તેમને તાત્કાલિક પુરસ્કાર પાછો આપવાનો નિર્ણય વિશે સૂચન કર્યું છે.
રત્ના રાશિદ બેનર્દીએ પોતાના નિર્ણય બાદ જણાવ્યું હતું કે, એક લેખક તરીકે હું સીએમને સાહિત્યિક પુરસ્કાર આપવાના પગલાથી અપમાનિત અનુભવી રહી છું, આ એક ખોટી મિસાલ રજૂ થઈ રહી છે. માનનીય મુખ્યમંત્રીની અથાક સાહિત્યિક શોધના વખાણ કરનારા અકાદમીના નિવેદન સત્યનું અટહાસ્ય કરે છે. અમે તેમની રાજકીય લડાઈ માટે સીએમના વખાણ કરીએ છીએ અને તેમનું સન્માન કરીએ છીએ. તેમને લોકોએ ત્રણ વાર ચુંટ્યા છે. અમે જ તેમને વોટ આપ્યા છે. પણ રાજકારણમાં તેમના યોગદાનની સરખામણી એ દાવા સાથે ન કરી શકાય કે તેમને સાહિત્ય માટે કામ કર્યું છે, મને તેની જાણકારી નથી.
30થી વધારે લેખ અને લઘુશોધ લેખિકા રત્ના રાશિદ લખી ચુક્યા છે. તેમણે કહ્યું કે, અકાદમીના અધ્યક્ષ બ્રત્ય બસુ દ્વારા સીએમની ઉપસ્થિતિમાં ઘોષિત કર્યા બાદ પણ તે પુરસ્કાર સ્વિકાર નહીં કરીને પરિપક્વતા દેખાડી શકે છે.