ચંદ્ર તરફ આગળ વધી રહેલું ઇસરોનું મિશન ચંદ્રયાન-2 અત્યાર સુધીના સૌથી જટિલ તબક્કામાંથી પસાર થવા માટે તૈયાર છે. શુક્રવાર અને શનિવારે મધ્યરાત્રિએ ચંદ્રયાનથી નીકળેલા વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે.
અંતિમ 15 મિનિટ ખરાખરીનો જંગ
ઇસરોના વૈજ્ઞાનિકો માટે પંદર મિનિટ આ મિશન (Chandrayaan-2)ની સૌથી મોટો પડકાર હશે, કેમ કે વિક્રમ લેન્ડર અને તેમાં મૂકવામાં આવેલા પ્રજ્ઞાન રોવરને કોઈ નુકસાન થયા વિના ચંદ્રની સપાટી પર ઉતરવું પડશે.
આ ટૂંકા સમયગાળાને '15 Minutes of Terror' એટલે કે ભયથી ભરેલા પંદર મિનિટ પણ કહેવામાં આવે છે. ઇસરોના અધ્યક્ષ ડો.કે શિવાને કહ્યું કે ચંદ્રની સપાટીથી 30 કિ.મી. ઉપરથી ઉતરાણ શરૂ થશે. આ કુલ 15 મિનિટનો સમયગાળો રહેશે. નોંધનીય છે કે, ઇસરોએ ચંદ્રની સપાટી પર ઉતરાણ સંબંધિત આ મિશન ક્યારેય કર્યું નથી.
નાના બાળકની કાળજી લેવી પડે તે રીતે રાખવામાં આવશે કાળજી
જો તમે યાન દ્વારા કાઇ છોડવા માગો છો તે કોઇ ફુટબોલની જેમ નીચે પડે છે. આ એક જટિલ પ્રક્રિયા છે જે આપણા માટે એકદમ નવી જ છે. જે લોકો આ પહેલા પણ કાર્ય કર્યું હતું તેમના માટે પણ તે એક જટિલ પ્રક્રિયા છે. જેને આપણે પ્રથમ વખત કરી રહ્યા છીએ.
આપણા માટે અંતિમ 15 મિનિટ ખુબ જ અગત્યની છે. જેમ યાન નીચે આવી રહ્યું હોય અને ત્યારે કાળજી લેવી પડે એવી જ રીતે કોઇ બાળકનો હાથ પકડીને નીચે ઉતારવાનુ હોય તે કામ યાનની પ્રોપલ્શન સિસ્ટમ કરે છે.
ISRO ના વડાનું નિવેદન
ચંદ્રયાન-2 નું વિક્રમ લેન્ડર જો સોફ્ટ લેન્ડિગમાં સફળ રહે છે તો રશિયા, અમેરિકા અને ચીન બાદ ભારત આ સફળતા પ્રાપ્ત કરનારું રાષ્ટ્ર બનશે.આ સાથે જ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશન બની જશે.