વિજેતા ઉમેદવારના સમર્થકોએ ફળિયામાં રહેતા લોકોને વોટ નહીં આપ્યો હોવાની અદાવતમાં રાખી આઠ થી 10 યુવકો બુધવારની સાંજે એક વ્યક્તિ સાથે કરેલી મારામારીમાં હત્યામા પરિણમી.
'અમારા ઉમેદવારને મત કેમ નહિ',કહી હત્યા કરી
દાહોદ જિલ્લાના ગુલબાર ગામની હિચકારી ઘટના
આઠ થી દસ લોકો એક વ્યક્તિ પર તૂટી પડતા હત્યા
દાહોદ જીલ્લામાં 327 ગ્રામ પંચાયત ની ચુંટણી 19 મી ડિસેમ્બરે મતદાન યોજાયું હતું જેમાં 21 મીએ મત ગણતરી કરાઈ હતી જેમાં ગુલબાર ગામે સરપંચ પદના ઉમેદવાર છત્રસિંહ મંડોડ ને જીત મળી હતી પરંતુ વિજેતા ઉમેદવારના સમર્થકોએ ફળિયા રહેતા લોકોને અમારા ઉમેદવારને વોટ કેમ નહીં આપ્યો હોવાની અદાવતમાં રાખી આઠ થી 10 યુવકો બુધવારની સાંજે એક વ્યક્તિ સાથે મારામારી કરતા હોવાથી અન્ય કુટુંબી છોડાવવા પડ્યો હતો. જેથી તેના માથાના પાછળના ભાગે પથ્થમારીને હત્યા કરી નાખતાં ખળભળાટ મચી ગયો હતો. ગરબાડા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
મારામારીમાં થઇ હત્યા
ગુલબાર ગામના ખાટીયા ફળિયામાં રહેતાં મહેશભાઇ શંકરભાઇ મેડાએ ઘરે હતા તે દરમિયાન ફળિયાના કમલેશ, નરેશ, રાકેશ, રસીક, કાન્તી, શાન્તીયા, સુરેશ તથા પરેશ બુમાબુમ કરીને અકુભાઇને કહ્યું હતું કે તે અમારા સરપંચ પદના ઉમેદવાર છત્રસિંહ મંડોડને કેમ વોટ આપ્યો નથી? તેમ કહીને બોલાચાલી કરીને માર મારી રહ્યા હતાં. તે વખતે મૃતક રાકેશભાઇ વચ્ચે છોડાવવા વચ્ચે પડતાં કમલેશે તે પણ વોટ કેમ આપ્યો નથી, અહીં કેમ આવ્યો છે કહીને ગાળાગાળી કરી માર મારીને માથાના પાછળના ભાગે પથ્થર મારતા ગંભીર ઈજા પહોચી હતી.
ઇજાગ્રસ્તનું થયું મોત
ખાટીયા ફળીયામાં બુમાબુમ થતાં પરિવારના અન્ય લોકો દોડી આવતાં તમામ હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપીને ભાગી ગયા હતાં. મૃતક રાકેશને ગંભીર ઈજા પહોચતા 108 દ્વારા ઝાયડસમાં લઇ જતાં તેને તબીબે મૃત જાહેર કર્યો હતો. મહેશભાઇની ફરિયાદને આધારે પોલીસે આઠે સામે ગુનો નોંધ્યો હતો.
હત્યારાઓ નાસી છૂટ્યા
ગુલબાર ગામમાં ઘર્ષણ માં મૃતક રાકેશનું મોત થતા વાત વાયુ વેગે ગામમાં પહોચતા પોલીસની ધરપકડના ભયથી હુમલાખોરો બધા ભાગી છુટ્યા હતા .જ્યાં પોલીસનો ખડકલો થયો છે હાલ 6થી વધુ આરોપી ફરાર છે તમામ આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે પોલીસે બે આરોપી હાલ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કોવીડની માર્ગદર્શિકા પ્રમાણે કાર્યવાહી હાથ ધરી છે.