— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 28, 2021
વિરોધ થતા ગોપાલ ઈટાલિયાએ માંગી માફી
સોમનાથમાં AAPની જનસંવેદનના યાત્રા પૂર્વે વિરોધ જોવા મળ્યો હતો, મહત્વનું છે કે સુરતમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તેઓ બ્રાહ્મણો અને હિન્દુ પરંપરાઓનું અપમાન કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું.
હિન્દું સંગઠનોએ કહ્યું સંસ્કૃતિનું ભાન થયું
ગોપાલ ઈટાલિયાનો વિવાદિત નિવેદનવાળો વીડિયો વાયરલ થયા બાદ હવે બ્રહ્મ સમાજ અને હિન્દુ સમાજના સંગઠનો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવતા ઈટાલિયાએ આજે માંફી માંગી છે વિરોધને પગલે બ્રહ્મ સમાજે એક નિવેદન જણાવ્યું હતું કે સોમનાથમાં દર્શન કરી અને ધજા ચઢાવીને સંસ્કુતિનું જતન કર્યું છે, ઈટાલિયાને સંસ્કુતિનું ભાન થયું એ સારી બાબત છે.
ગોપાલ ઇટાલિયાએ કરેલા વિવાદિત નિવેદનનો મામલો
આ વાયરલ થયેલા વીડિયોમાં આપ નેતા કહી રહ્યા છે કે, “મારે જે કહેવું છે તે કહીશ તમને ના ગમે તો મને બ્લોક કરી દેજો, કારણ કે મને તમારી જરૂર નથી. વધુમાં સત્ય નારાયણ કથા અને ભાગવત કથાને લઈને પણ ગોપાલ ઈટાલિયાએ સવાલો ઉઠાવ્યા હતા ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે કથાઓ જેવી અવૈજ્ઞાનિક અને વ્યર્થ વસ્તુઓ પર લોકો પૈસા અને સમયનો વ્યય કરે છે. આ કર્યા પછી પણ લોકો જાણતા નથી કે આ કરીને તેમને શું મળ્યું. તેઓ અન્યનો સમય પણ બગાડે છે. આવી નકામી ચીજો ઉપર જો આપણે પૈસા પણ ખર્ચ કરીએ તો આપણને મનુષ્યની જેમ જીવવાનો પણ અધિકાર નથી. જેને લઈનો લોકોમાં રોષ જોવા મળ્યો હતો ગોપાલ ઈટાલિયાએ હિન્દુ માન્યતાઓનું અપમાન કરતા કહ્યું હતું અને સત્સંગ અને કથામાં હાજરી આપનારા લોકોને કિન્નર સાથે સરખાવ્યા હતા અને કહ્યું હતું કે “મને આવા લોકોની શરમ આવે છે.