વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશન(WHO)ના રિપોર્ટ અનુસાર મોટાભાગે દુનિયામાં મોત વધારે પડતુ મીઠું ખાવાથી થાય છે.
વધારે મીઠું ખાવાથી અનેક બીમારીઓના બની શકાય છે શિકાર
દુનિયાભરમાં વધારે મીઠુ ખાવાના કારણે દરવર્ષે લાખો લોકોનું થાય છે મોત
WHO મુજબ બેગણાથી પણ વધારે મીઠું ખાય છે લોકો
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશન(WHO)ના રિપોર્ટમાં જણાવ્યું છે કે ખાવામાં કેટલુ મીઠુ જરુરી છે? જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે વધારે સોડિયમ ખાવાથી મીઠું ખાવાથી કઇ કઇ મુશ્કેલી થઇ શકે છે. રિપોર્ટ દ્વારા એ પણ જાણવા મળ્યું છે કે સમગ્ર દુનિયામાં આ લક્ષ્ય નિર્ધારિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, કે વર્ષ 2025 સુધી 30 ટકા ઓછુ મીઠુ ખાવાનું લોકોને કહે છે.
વધારે મીઠું ખાવાથી આ બીમારીઓના બની શકાય છે શિકાર
સોડિયમ શરીર માટે સૌથી જરુરી પોષક તત્વોમાંથી એક છે. પરંતુ જો વધારે માત્રામાં ખાવામાં આવે તો હૃદયની બીમારી, સ્ટ્રોક અને સમયથી પહેલા મોતનું કારણ બની શકે છે. જ્યારે સોડિયમ ક્લોરાઇડનો મેઇન સોર્સ છે. સાથે જ આ પોષક તત્વ સોડિયમ ગ્લોટામેટ બીજા મસાલોમાંથી પણ મળી આવે છે.
દુનિયાભરમાં વધારે મીઠુ ખાવાના કારણે દરવર્ષે લાખો લોકો મરે છે
WHOની વર્લ્ડ રિપોર્ટ અનુસાર, લોકોના ખોરાકમાંથી મીઠું કટ કરવાથી નીતિને લાગુ કરવામાં 2030 સુધીનો સમય લાગે છે. જેના કારણે દુનિયામાં 70 લાખ લોકોનો જીવ બચાઇ શકે છે. જો કે ફક્ત નવ દેશો-બ્રાઝીલ, ચિલી, ચેક ગણરાજ્ય, લિથુઆનિયા, મલેશિયા, મેક્સિકો, સાઉદી અરબ, સ્પેન અને ઉરુગ્વે એ મીઠું ઓછુ ખાવા માટે અમુક ખાસ નિયમો બનાવ્યા છે. પરંતુ આ દેશો ઉપરાંત અન્ય દેશોમાં પણ આ પ્રકારના નિયમ બનાવવાની જરુર છે.
WHO મુજબ બેગણાથી પણ વધારે મીઠું ખાય છે લોકો
દુનિયાભરમાં દરરોજ આશરે 10.8 ગ્રામ મીઠાનો ઉપયોગ થવાનું અનુમાન છે. તેમાંથી ઘટાડીને દરરોજ 5 ગ્રામ એટલે એક ચમચી કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. કારણ કે અત્યારે જે પ્રકારે આપણે મીઠું ખાઇએ છીએ તે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશનના હિસાબે બેગણાથી પણ વધારે છે. જે શરીર માટે વધુ હાનિકારક સાબિત થઇ શકે છે. ફક્ત એટલુ જ નહીં આ ગંભીર બીમારી પણ પેદા કરી શકે છે.
WHOના મહાનિર્દેશક ડો.ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયસસે કહ્યા અનુસાર, અનહેલ્દી ડાયટ વિશ્વ સ્તર પર મૃત્યુ અને બીમારીનો એક પ્રમુખ કારણ છે. સાથે જ ખાવામાં વધારે સોડિયમના સેવનથી મોતના આંકડામાં વધારો થઇ શકે છે. તેનાથી થનારી બીમારી પ્રમુખ છે જેનાથી હાર્ટ એટેક, સ્ટ્રોક અને અન્ય હેલ્થ સંબંધિ સમસ્યાઓનો જોખમ વધી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર જો ખાવામાં લોકો ઓછુ મીઠું ખાઓ. તો આપણે સમય પહેલા થનારી મોત પર કંટ્રોલ કરી શકાય છે. તેથી આપણે ડાયટમાં કેટલુ મીઠું ખાવુ જોઇએ, તેને લઇને પણ કડક નિયમ બનાવવા જોઇએ.