22 માર્ચથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થશે. ચૈત્ર નવરાત્રીમાં માતાજીની આરાધના કેવી રીતે કરવી અને ક્યારે શુભ મુહૂર્ત છે તે વિશે અહીંયા જણાવવામાં આવ્યું છે.
22 માર્ચથી શરૂ થશે ચૈત્ર નવરાત્રી.
ચૈત્ર નવરાત્રીનું શુભ મુહૂર્ત.
તમામ આર્થિક પરેશાની દૂર થશે.
હિંદૂ ધાર્મિક માન્યતા અનુસાર નવરાત્રીની પૂજાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. હિંદુ કેલેન્ડર અનુસાર દર વર્ષે ચાર નવરાત્રીની ઊજવણી કરવામાં આવે છે. 22 માર્ચથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે અને દેવીના નવ સ્વરૂપની આરાધના કરવામાં આવે છે. માનવામાં આવી રહ્યું છે કે, જે લોકો નવરાત્રીના નવ દિવસો દરમિયાન માઁ ની પૂજા કરે છે, તેમના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે. આ 9 દિવસો દરમિયાન વ્રત કરીને માઁ ને ખુશ કરવામાં આવે છે અને અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે. ચૈત્ર નવરાત્રી ક્યારથી શરૂ થશે, તેનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
ચૈત્ર નવરાત્રીની તિથિ અને શુભ મુહૂર્ત
હિંદુ પંચાંગ અનુસાર આ વર્ષે 22 માર્ચ 2023 બુધવારથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. પંચાંગ અનુસાર ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 21 માર્ચ 2023ના રોજ રાત્રે 10:52 વાગ્યાથી શરૂ થશે અને 22 માર્ચ 2023ના રોજ રાત્રે 08:20 સમાપ્ત થશે.
શુભ મૂહૂર્ત: 22 માર્ચ 2023ના રોજ સવારે 06:23 વાગ્યાથી સવારે 07:32 વાગ્યા સુધી
બપોરે 12:28 વાગ્યાથી 01:59 વાગ્યા સુધી રાહુકાળ રહેશે. આ કારણોસર આ સમયે દેવીની પૂજા ના કરવી જોઈએ.
ચૈત્ર નવરાત્રીની પૂજા વિધિ
નવ દિવસની વિશેષ પૂજામાં સૌથી પહેલા દિવસે શૈલપુત્રીની પૂજા કરવામાં આવશે. 22 માર્ચ 2023થી શરૂ થનાર નવરાત્રીના પ્રથમ દિવસે કળશની સ્થાપના કરવામાં આવે છે. આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી લો. ત્યારબાદ સૂર્યને અર્ધ્ય ધરો. હવે વ્રતનો સંકલ્પ કરો અને પૂઝા ઘર પાસે એક પાટલા પર લાલ કપડું પાથરો અને તેના પર માતાજીની મૂર્તિ અથવા ફોટોની સ્થાપના કરો. ત્યારબાદ માતાજીને ફળ અને ફૂલ અર્પણ કરો. હવે માતાજીની આરતી કરીને તેમને થાળ ધરાવો.
ચૈત્ર નવરાત્રીનું મહત્ત્વ
ધાર્મક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહત્ત્વ છે. ચૈત્ર નવરાત્રીના નવ દિવસો દરમિયાન દેવીની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. જે લોકો સાચા મનથી અને વિધિ વિધાન સાથે માતાજીની આરાધના કરે છે, તેમની તમામ ઈચ્છાઓ પૂરી થાય છે. ચૈત્ર નવરાત્રીમાં માતાજીની પૂજા કરવાથી માતાજી પ્રસન્ન થાય છે અને તમામ આર્થિક પરેશાનીઓ દૂર થાય છે.