બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ગુજરાત / રાજકોટ / When 11-year-old girl is strangled, need to think, has society become desensitized?
Priyakant
Last Updated: 02:50 PM, 16 October 2023
Rajkot News : 11 વર્ષની બાળકી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવે ત્યારે સમાજે મનોમંથન કરવાની જરૂર છે કે ક્યાંક આપણે અસંવેદનશીલ તો નથી થયા ને? વાત જાણે એમ છે કે, તાજેતરમાં રાજ્યમાં સામે આવેલ આપઘાતની ઘટનાનો વિચાર માંગી લે છે કે, શું કારણ હશે કે, યુવક-યુવતીઓ આપઘાત કરી રહ્યા છે ? નિર્દોષ બાળકો ભણવાની, રમવાની, તણાવમુક્ત આનંદ માણવાની ઉંમરમાં આપઘાત જેવું પગલું ભરે છે ત્યારે માત્ર એક પરિવાર જ નહીં પરંતુ સમગ્ર સમાજને આઘાત લાગે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના મનોવિજ્ઞાન ભવન દ્વારા કરવામાં આવેલ એક રિસર્ચમાં અનેક ચોંકાવનારી બાબતો સામે આવી છે.
કેમ વધી રહી છે આત્મહત્યાની ઘટનાઓ ?
આત્મહત્યાની ઘટનાઓ બાદ સવાલો ઉઠે છે કે બાળકે આવું કેમ કર્યું? મોટાભાગના કિસ્સાઓમાં લક્ષ્ય પ્રાપ્ત કરવામાં નિષ્ફળતા એ કારણ છે. બીજું જીદ પુરી ન થવાના લીધે પણ બાળક આ તરફ વળે છે, માતાપિતા અન્ય સાથે સરખામણી કરે ત્યારે બાળક લઘુતા નો ભાવ અનુભવે અને આ નિષ્ફળતા બાળકને તણાવ, એકલતા અને હતાશા તરફ ધકેલે છે. આ મુશ્કેલ સમયમાં બાળકને તેમના પ્રિયજનોની જરૂર છે. ઘણીવાર આવા સમયે માતા-પિતા બાળકોના મિત્ર બની જાય છે અને તેમને સમજવાને બદલે ટોણા મારવા લાગે છે. પોતાના જ લોકોના આવા વર્તનથી બાળકોના કોમળ મનને થતી ઈજા તેમને આત્મહત્યા જેવા ગુના કરવા મજબૂર કરે છે.
આપઘાત કરનારા મોટા ભાગે કિશોરાવસ્થામાં હોય છે
વિવિધ સંશોધનોના ડેટા અનુસાર આત્મહત્યા કરનારા મોટાભાગના લોકો કિશોરાવસ્થામાં અથવા યુવાવસ્થામાં હોય છે. કિશોરાવસ્થા એ પ્રોબેશનનો સમય છે. બાળકોમાં અનેક પ્રકારના માનસિક અને શારીરિક ફેરફારો થાય છે. ઘણા નવા હોર્મોન્સ ઉત્પન્ન થાય છે. આ સમય દરમિયાન તેઓ ખૂબ જ સંવેદનશીલ હોય છે. નાની નાની બાબતો પણ તેમના મન પર ઊંડી અસર કરે છે.
બાળકોની આત્મહત્યા પાછળના કારણો
1. માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ
બાળકો ડિપ્રેશન, ચિંતા અને અન્ય ઘણી માનસિક સ્વાસ્થ્ય સ્થિતિઓ સાથે પણ સંઘર્ષ કરે છે. આના કારણે આત્મહત્યાના વિચારો આવવાનું જોખમ પણ વધી જાય છે.
2. ધાકધમકી/બુલિંગ
બુલિંગ જે ઘણીવાર શાળાઓમાં કે શેરીઓમાં મિત્રો દ્વારા થતું હોય, સોશિયલ મીડિયા પર અને મિત્રોમાં એકદમ સામાન્ય છે. જોકે કોઈપણ એક બાળકને નિશાન બનાવવાથી તેમના આત્મવિશ્વાસ અને માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે. તેઓ શાળાએ જવાનું ટાળવા લાગે છે અથવા અન્ય બાળકો સાથે રમવા માંગતા નથી અને એકલા સમય પસાર કરવાનું પસંદ કરે છે. આવી પરિસ્થિતિઓ નાના બાળકોના મનમાં આત્મહત્યાના વિચારોનું કારણ પણ બની જાય છે.
3. કૌટુંબિક સમસ્યાઓ
છૂટાછેડા, ઘરેલુ હિંસા અથવા માતા-પિતા તરફથી ધ્યાન ન આપવા જેવી કૌટુંબિક સમસ્યાઓ પણ બાળકોની ભાવનાત્મક સ્થિતિને અસર કરી શકે છે, જેના કારણે તેઓ હંમેશા હતાશ રહે છે અને પરેશાન રહેવાને કારણે તેઓ આત્મહત્યાના વિચારો આવવા લાગે છે.
4. ખોટી જીદ
આજકાલ બાળક ના સાંભળી શકતું નથી જેને લીધે તેનો અહમ ઘવાય છે અને ઘણી વખત ખોટી જીદ લઈને બેસી જાય છે. પોતાના મિત્રો પાસે જે કઈ હોય તેવું તેમને તાત્કાલિક જોઈએ છીએ અને જેને લીધે ખોટી જીદ કરતા જોવા મળે છે. જીદ પૂર્ણ ન થતા આત્મહત્યા જેવું પગલું ભરી બેસે છે.
માતાપિતા માટે સૂચનો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army