બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / what will keep lizards away from house
Bijal Vyas
Last Updated: 10:19 PM, 28 August 2023
Pest Control:ઘણા લોકો ઘરમાં રહેલી ગરોળીથી ખૂબ ડરે છે. સમસ્યા છે કે થોડા સમય પછી ગરોળીનું કદ ધીમે ધીમે વધતું જાય છે. આવી સ્થિતિમાં, તમે ડુંગળીની છાલ સહિત ઘરમાં હાજર ઘણી વસ્તુઓની મદદ લઈ શકો છો. ગરોળી પણ આનાથી દૂર થઈ જશે અને તમારે વધારે ખર્ચ પણ નહીં કરવો પડે.
શું ડુંગળીથી ગરોળી ભાગી શકે છે ?
બહુ ઓછા લોકો જાણતા હશે કે ગરોળીને ડુંગળીની ગંધથી એલર્જી હોય છે. આ કારણે તમને ડુંગળીની આસપાસ ક્યારેય ગરોળી દેખાશે નહીં. તમારે માત્ર એટલું કરવાનું છે કે જ્યાં પણ ગરોળી દેખાય ત્યાં ડુંગળીની છાલ રાખો. જો તમે ઈચ્છો તો ડુંગળીની છાલને પાણીમાં મિક્સ કરીને સ્પ્રે પણ બનાવી શકો છો.
શું ગરોળી લસણથી દૂર રહે છે?
તમે ઘરના દરવાજા અને બારીઓ પર લસણની કળીઓ લટકાવીને પણ ગરોળીને ભગાડી શકો છો. જો ગરોળી ટોચ પર હોય, તો તમે ટેપની મદદથી લસણને દિવાલ પર પણ ચોંટાડી શકો છો.
ગરોળીને ઘરમાંથી હંમેશા માટે કેવી રીતે ભગાડવી?
ઘરમાંથી ગરોળીને હંમેશા માટે દૂર કરવા માટે તમે ડેટોલના સ્પ્રે અથવા ક્લિનિંગ ડિટર્જન્ટનો ઉપયોગ કરી શકો છો. તમારે ફક્ત એક બાઉલ પાણી ગરમ કરવાનું છે અને તેમાં 2-3 ચમચી ડેટોલ અને ડિટર્જન્ટ ઉમેરો. હવે આ પ્રવાહીને સ્પ્રે બોટલમાં મૂકો અને જ્યાં પણ ગરોળી દેખાય ત્યાં તેને સ્પ્રે મારો.
ગરોળી કોનાથી ડરે છે?
ઘરની ગરોળીથી છુટકારો મેળવવા માટે તમે પાણીમાં કાળા મરીના પાવડરને મિક્સ કરીને સ્પ્રે પણ બનાવી શકો છો. કાળા મરી એ ગરમ મસાલામાંથી એક છે, જેની ગંધ ગરોળી સહન કરી શકતી નથી. જો જમીન પર ગરોળી જોવા મળે તો આખા કાળા મરીને પણ ખૂણામાં રાખી શકો છો.
ગરોળી ભગાડવા માટે રાખો સફાઇનું ધ્યાન
આ બધી ટિપ્સ સિવાય તમારે ઘરની સફાઈનું પણ ધ્યાન રાખવું જોઈએ. ગંદા ઘરમાં ગરોળી આવવાની શક્યતાઓ વધુ હોય છે. ગરોળીની સાથે અન્ય જીવજંતુઓ પણ ગંદકીના કારણે ઘરમાં આવે છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army