કૉંગ્રેસનાં નેતા હાર્દિક પટેલે અમિત શાહને ગૃહ પ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યાં છે. ઉપરાંત, કહ્યું કે, પોતાને ધમકી આપનારા સંદેશાઓ મળી રહ્યાં છે. એવું પૂછવામાં આવે છે કે, હવે અમારા જેવા લોકોનું શું થશે કે જે ભાજપ સામે લડશે.
કૉંગ્રેસનાં નેતા હાર્દિક પટેલે અમિત શાહને ગૃહ પ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યાં છે. ઉપરાંત, કહ્યું કે, પોતાને ધમકી આપનારા સંદેશાઓ મળી રહ્યાં છે. એવું પૂછવામાં આવે છે કે, હવે અમારા જેવા લોકોનું શું થશે કે જે ભાજપ સામે લડશે. હાર્દિકે ટ્વિટમાં લખ્યું હતું કે, "અમિત શાહ ગૃહમંત્રી બન્યાં છે જેથી હું મારી શુભકામનાઓ તેમને પાઠવું છું. પરંતુ આજે કેટલાંક ભક્તોનાં મેસેજ આવ્યાં કે હવે તમારું શું થશે હાર્દિક. એટલે કે અમિત શાહનાં ગૃહ પ્રધાન બન્યા પછી ભક્ત ખૂબ ખુશ છે. આપણાં જેવા યુવાનો જે ભાજપ સામે લડશે તેવાં યુવાઓને શું મારી દેવામાં આવશે? ચાલો ભગવાનની જેવી ઇચ્છા!"
अमित शाह जी गृह मंत्री बने हैं इसलिए मैं हार्दिक शुभकामनाएं देता हूं।लेकिन आज कुछ भक्तों के मुझ पर मैसेज आए कि अब तेरा क्या होगा हार्दिक।मतलब अमित शाह के गृह मंत्री बनने के बाद भक्त काफी खुश हैं।भाजपा के खिलाफ लड़ने वाले हम जैसे युवा को मार दिया जाएगा ? चलों जैसी भगवान की इच्छा !
અમિત શાહને બીજી વખત નરેન્દ્ર મોદી કેબિનેટમાં સમાવવામાં આવ્યાં છે. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્ય પ્રધાન હતા, ત્યારે અમિત શાહે તેમની સરકારમાં ગૃહ મંત્રાલયનો હવાલો સંભાળ્યો હતો. વડાપ્રધાન મોદીનાં બીજા કાર્યકાળમાં શાહને ગૃહમંત્રી બનાવવામાં આવ્યાં છે. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનનાં નેતા રહી ચૂકેલ હાર્દિક પટેલે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે પૂરા જોશમાં પ્રચાર કર્યો હતો. ઓબીસી કેટેગરીમાં પાટીદારોને શામેલ કરવાને લઇને પટેલે અમિત શાહ પર આરોપ લગાવ્યો હતો કે તેમનાં ઇશારા પર રાજ્યમાં પ્રદર્શનકારીઓની સાથે સખ્ત વર્તન કરવામાં આવી રહેલ છે.
હાર્દિક પટેલે પોતાનાં ટ્વિટમાં જણાવ્યું કે, શું અમિત શાહનાં ગૃહમંત્રી બન્યા બાદ તેનાં જેવા યુવાનને મારી નાખવામાં આવશે. તેઓએ જણાવ્યું કે ભાજપ ચીફનાં ગૃહમંત્રી બન્યા બાદ ભક્તો ખૂબ જ ખુશ છે અને તેઓ તેમને પૂછી રહ્યાં છે કે હવે તેમનું શું થશે. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપે ભવ્ય પ્રદર્શન કર્યુ હતું અને કોંગ્રેસનાં સૂપડાં સાફ કરી દીધાં.
कांग्रेस नहीं...
बेरोज़गारी हारी हैं, शिक्षा हारी हैं, किसान हारा हैं, महिला का सम्मान हारा हैं, आम जनता से जुड़ा हर मुद्दा हारा हैं, एक उम्मीद हारी हैं, सच कहे तो हिंदुस्तान की जनता हारी हैं।कांग्रेस के सभी कार्यकर्ता की लड़ाई को सलाम करता हूँ।लड़ेंगे और जीतेंगे।जय हिंद
રાજ્યની તમામ 26 બેઠકો ભાજપનાં ભાગમાં આવી. આ પરિણામો આવ્યા બાદ હાર્દિક પટેલે આ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યો હતો. તેમણે અગાઉ ઉપર મુજબ ટ્વિટરમાં લખ્યું હતું કે, "કૉંગ્રેસ નહીં... બેરોજગારી હારી છે. શિક્ષણ હાર્યું છે. ખેડૂત હાર્યો છે. સ્ત્રીનું સમ્માન હાર્યુ છે. સામાન્ય લોકો સાથે જોડાયેલ તમામ મુદ્દા હાર્યા છે. સાચુ કહું તો હિંદુસ્તાનની જનતા હારી છે. કોંગ્રેસનાં તમામ કાર્યકર્તાઓની લડાઇને હું સલામ કરું છું. લડેંગે ઔર જીતેંગે."