બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / What is the success of 17 Gujaratis in UPSC? As every student takes this lesson, tough criteria will become easy
Vishal Khamar
Last Updated: 09:18 PM, 24 May 2023
કિસ્સો જાણીતો છે છતા ફરી યાદ કરી લઈએ કારણ કે આજના વિષયને સંલગ્ન બની શકશે. કિસ્સો એ સમયનો છે જયારે IASને બદલે ICS એટલે કે ઈન્ડિયન સિવિલ સર્વિસ અસ્તિત્વમાં હતી. એ સમયે ઈન્ટરવ્યૂ આપનાર હતા સુભાષચંદ્ર બોઝ. ઈન્ટરવ્યૂ લેનાર પેનલે એ જ પ્રશ્ન પૂછ્યો જે અગાઉના ઉમેદવારોને પૂછ્યો હતો, એ પ્રશ્ન એવો હતો કે તમે મોડી રાત્રે પરીક્ષાને લગતું સાહિત્ય વાંચી રહ્યા છો એવા સમયે તમારી નાની બહેન નિર્વસ્ત્ર હાલતમાં તમારી સમક્ષ આવે તો તમે શું કરો?
પાસ થનારા ઉમેદવારો મોટેભાગે ડોકટર એન્જિનિયર છે
અગાઉના સૌ કોઈ ઉમેદવારો આ સવાલનો શું જવાબ આપવો એ જરાપણ સમજી ન શક્યા. આવા સમયે સુભાષ બાબુએ બહુ જ સરળતાથી કહ્યું કે હું મારી નાની બહેનને તેડીને લઉ જઉ અને પારણામાં ઝૂલાવીને સુવાડી દઉ..સુભાષ બાબુનો આ જવાબ સનદી સેવાના અધિકારીની કયા સ્તરની સમજણશક્તિ હોવી જોઈએ તેનો પરિચાયક છે.. UPSCની પરીક્ષાની, આ પરીક્ષામાં સફળતા મેળવવાની ટીપ્સની. ગુજરાત માટે સકારાત્મક બાબત એ છે કે ગત વર્ષ કરતા આ વર્ષે યુપીએસસી પાસઆઉટની સંખ્યા વધી છે, એક વિશેષતા એ પણ છે કે પાસ થનારા ઉમેદવારો મોટેભાગે ડોકટર એન્જિનિયર છે તેમ છતા મુખ્ય વિષય તરીકે તેમણે આર્ટસને લગતા વિષય વધુ લીધા હતા.
UPSC 2022નું પરિણામ જાહેર થયું છે. પરિણામમાં ટોચના 3 નંબર પર દીકરીઓ આવી છે. ટોચના 1 હજાર રેન્કમાં 16 વિદ્યાર્થી ગુજરાતના છે. દિવસ-રાત મહેનત કરીને વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. ત્યારે પ્રિલિમ, મેઈન અને મૌખિક ઈન્ટરવ્યૂ-પર્સનાલીટી ટેસ્ટના અઘરા માપદંડ છે. અઘરા માપદંડને ઉમેદવારોએ સરળ બનાવ્યા. UPSCની પરીક્ષામાં સખત અને પદ્ધતિસરનો પરિશ્રમ સફળતાનો એકમાત્ર વિકલ્પ છે. હજારો વિદ્યાર્થીઓમાંથી નજીવા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં પાસ થતા હોય છે. સ્ટેટ લેવલની પરીક્ષા પાસ કરી હોય તેવા લોકો પણ UPSC આપે છે.
UPSCની પરીક્ષામાં ગુજરાતીઓ ક્યાં?
આ વર્ષે UPSCમાં પાસ થનારા ગુજરાતીઓની સંખ્યા વધી છે. ગુજરાતમાંથી UPSCમાં 16 ઉમેદવારોએ ટોચના 1 હજાર રેન્કમાં સ્થાન મેળવ્યું. આ વર્ષે પહેલા 150 રેન્કમાં પણ ગુજરાતીનું સ્થાન છે. ગુજરાતમાં UPSC પાસ કરનારા સ્પીપાના વિદ્યાર્થીઓ છે.
ગુજરાત માટે આ વર્ષે શું છે ખાસ?
રાજ્યના વિદ્યાર્થીમાંથી 14 એન્જિનિયર, 2 ડૉકટર છે. જ્યારે પાસ થયેલા વિદ્યાર્થીઓએ મુખ્ય વિષય તરીકે આર્ટસના વિષય રાખ્યા હતા. સૌથી વધુ 5 ઉમેદવાર રાજનીતિશાસ્ત્રના મુખ્ય વિષય સાથે પાસ થયા. બે ઉમેદવારે સમાજશાસ્ત્ર જયારે બે ઉમેદવારે ફિલોસોફી વિષય રાખ્યો હતો. સ્પીપામાંથી તાલિમ મેળવીને પાસ થનારા 16 ઉમેદવાર છે. અન્ય એક ઉમેદવારે દિલ્લીથી ફોર્મ ભર્યુ હતું. ગત વર્ષ કરતા આ વર્ષે UPSC પાસ કરનારા ગુજરાતીની સંખ્યા વધી છે. ટોચના 500 વિદ્યાર્થીઓમાંથી ગુજરાતના 4 વિદ્યાર્થી છે.
ગુજરાતના ઉમેદવારોનો કેટલામો રેન્ક?
અતુલ ત્યાગી |
રેન્ક-145 |
દુષ્યંત ભેડા |
રેન્ક-262 |
વિષ્ણુ શશિકુમાર |
રેન્ક-394 |
ચંદ્રેશ શંખલા |
રેન્ક-414 |
ઉત્સવ જોગાણી |
રેન્ક-712 |
માનસી મીણા |
રેન્ક-738 |
કાર્તિકેય કુમાર |
રેન્ક-812 |
મૌસમ મહેતા |
રેન્ક-814 |
મયુર પરમાર |
રેન્ક-823 |
આદિત્ય અમરાણી |
રેન્ક- 865 |
કેયુર પારગી |
રેન્ક-867 |
નયન સોલંકી |
રેન્ક-869 |
કૌશિક મંગેરા |
રેન્ક-894 |
ભાવના વાઢેર |
રેન્ક- 904 |
ચિંતન દૂધેલા |
રેન્ક- 914 |
પ્રણવ ગૌરેલા |
રેન્ક-925 |
UPSCમાં કેવી રીતે મળે સફળતા?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army