અલ્પેશ ઠાકોરે આજે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું ધરબી દીધું છે ત્યારે લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. આ મુદ્દે VTV ન્યૂઝના એડિટર ઇસુદાન ગઢવીએ વિશ્લેષણ કર્યુ હતું. જેમાં મુખ્યત્વે અલ્પેશ ઠાકોરે કેવી રીતે આંદોલન ગુજરાતમાં તેજ કર્યુ અને કેવી રીતે કોંગ્રેસમાં એન્ટ્રી મેળવી તેવા મુદ્દાઓને આવરી લેવાયા છે. આ ઉપરાંત ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે અલ્પેશ ઠાકોરની કઈ બેઠકો પર પ્રભુત્વ છે અને હવે કોંગ્રેસને અલવિદા કરીને ભવિષ્યમાં જો અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય છે તો ભાજપને અને અલ્પેશ ઠાકોરને શું ફાયદો થઈ શકે?