પુલવામામાં ગુરુવારે સીઆરપીએફના કાફલા પર આતંકવાદી હુમલો થયો. જેમાં 37 જવાન શહીદ થયા છે જ્યારે કેટલાક ઘાયલ થયા છે. આ ઘટનાને સમગ્ર દેશને હચમચાવી નાંખ્યો છે. દરેક લોકો પાકિસ્તાન સાથે એનો બદલો લેવાની માગણી કરી રહ્યા છે. આ વચ્ચે આજે સરકારે એવો નિર્ણય લીધો છે કે તેઓ પાકિસ્તાનથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો લઇ લેશે. તમને જણાવીએ છે કે એમએનએફ શું હોય છે અને એની શું અસર પડે છે.
શું હોય છે એમએનએફ
વિશ્વ વ્યાપાર સંગઠન (ડબ્લ્યૂટીઓ)ના ચાર્જિસ અને વ્યાપાર પર સામાન્ય સમજૂતીના સિદ્ધાંતો અનુસાર જેનો ભારત એક હસ્તાક્ષકર્તા/અનુબંધ વાળો સભ્ય છે દરેક ડબ્લ્યૂટીઓ સભ્ય દશોને પોતાના તમામ બીજા સભ્યોને મોસ્ટ ફેવર્ડ ટ્રેડિંગ પાર્ટનર તરીકે સમાન વ્યવહાર કરવો જોઇએ.
ડબ્લ્યૂટીઓ કહે છે કે કોઇને વિશેષ ફેવર આપવી જોઇએ(જેમ કે કસ્ટમ ડ્યૂટી રેટને ઓછો કરવો) અને તમારે આવું જ બીજા ડબ્લ્યૂટીઓ સભ્યોની સાથે કરવું પડશે. એમએનએફ એક એવો દરજ્જો છે જેમાં કોઇ ભેદભાવથી એમને વ્યાપારિક સુવિધા આપવામાં આવે છે.
ભારત 1 જાન્યુઆરી 1995એ ડબ્લ્યૂટીઓનો સભ્ય બન્યો હતો. એક વર્શ બાદ ડબ્લ્યૂટીઓના સભ્ય તરીકે 1996માં ભારત સરકારે પાકિસ્તાનને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપ્યો હતો. પરંતુ પાકિસ્તાને એવું ના કર્યું. 2015માં પાકિસ્તાનની વ્યાપાર નીતિની સમીક્ષા પર આવેલા ડબ્લ્યૂટીઓના રિપોર્ટ અનુસાર 'પાકિસ્તાન ભારતને બિન ભેદભાવકારી બજારો (એમએનએફની જેમ) ઍક્સેસ પ્રદાન કરવાની પ્રક્રિયામાં છે.'