ચીન સહિત સમગ્ર વિશ્વમાં 60,332 લોકો કોરોના વાયરસના ગ્રસ્ત છે. ત્યારે અત્યાર સુધીમાં 1369 લોકોના મોત નિપજ્યાં છે. ઝડપથી ફેલાયેલા કોરોના વાયરસ જ્યારે થાય ત્યારે શરીરમાં શું ફેરફાર થાય છે. ત્યારે કયો ઉપાય કરવો જોઈએ.
આ છે કોરોના વાયરસના લક્ષણો
કેવી રીતે ઓળખી શકશો કોરોનાને
કોરોના થાય તો કેવી રીતે બચી શકાય
આ વાયરસ આખા હોસ્પિટલમાં કેવી રીતે ફેલાયો છે
એક નવા રિપોર્ટ મુજબ વુહાનના એક હોસ્પિટલમાં કોરોના વાયરસગ્રસ્ત 138 લોકોની સારવાર કરવામાં આવી છે. આ દરમિયાન મેડિકલ ઓફિસરોને વાયરસ સાથે જોડાયેલી કેટલાક રહસ્યમય પાસાઓના જવાબ મળ્યાં છે. સાથે સાથે આ વાયરસ આખા હોસ્પિટલમાં કેવી રીતે ફેલાયો છે.
40 હેલ્થ કેર પ્રોફેશનલની મદદ લેવામાં આવી છે
વુહાન યૂનિવર્સીટીના ઝોગનાન હોસ્પિટલના ડૉક્ટર ઝિયોંગ પેંગને જણાવ્યુ હતું કે તેમની ટીમના અત્યાર સુધીના લગભગ 40 ટકા કોરોના ગ્રસ્તની સારવાર પોતાની હોસ્પિટલમાં કરી છે. આ માટે અહીં 40 હેલ્થ કેર પ્રોફેશનલની મદદ લેવામાં આવી છે.
શરુઆતના લક્ષણો શું હોય છે?
કોરોના ગ્રસ્ત લોકોમાં શરુઆતના લક્ષણો બહું સામાન્ય છે. આ દરમિયાન વ્યક્તિને તાવ આવે છે અને બહું થાક લાગે છે. સાથે સાથે અસરગ્રસ્તને કોરી ખાંચી આવે છે. તેમજ ડાયરિયા થયાની ફરિયાદ જોવા મળે છે.
કેવી રીતે કોરોનાને ઓળખશો?
કોરના વાયરસ દરમિયાન માણસના ગળામાં ઘણી તકલીફો આવે છે. આ વાયરસનાં જીનેટિક મટેરીયલને પોલીમર ચેન રિએક્શન(PCR)ના માધ્યમથી ઓળખી શકાય છે.
ચેસ્ટ સ્કેનર
કોરોના ગ્રસ્ત કેટલાક દર્દીઓની જ્યારે સીએટી સ્કેનરથી તપાસ કરવામાં આવી તો તેમના ફેંફસામાં કેટલાંક સ્પોર્ટ નજર આવ્યાં હતાં. મેડિકલ ભાષામાં તેને ગ્રાઉન્ડ ગ્લાસ કહેવામાં આવે છે.
કોને વધારે ખતરો છે?
કોરોના ગ્રસ્ત 25 ટકા લોકોને આઈસીયૂમાં રાખવામાં આવ્યાં છે. આ લોકો એક્યૂટ રેસ્પીરેટરી ડિસટ્રેસ સિંડ્રોમનો શિકાર થયા છે. આ સ્થિતિમાં ફેંફસામાં એક પ્રકારનું પાણી ભરાયી જાય છે. અને તેમાં ઓક્સિજન નથી પહોંચી શકતું. કિડની ખરાબ થવાને કારણે લોકોના મોત નિપજે છે. આ વાયરસ એ લોકો માટે વધારે ખતરનાક છે જે પહેલાથી જ નબળા છે.
ઘરડા લોકોને વધારે ખતરો?
ડૉક્ટર્સનું કહેવું છે કે ઉંમર લાયક લોકોમાં આ વાયરસ વધારે ખતરનાક છે. તેમના હોસ્પિટલમાં 22 વર્ષથી 92 વર્ષની ઉંમર સુધીના દર્દીઓ દાખલ થયા છે પરંતુ 56 વર્ષના દર્દીઓની સંખ્યા સૌથી વધારે છે.