પશ્ચિમ બંગાળમાં ચૂંટણી માટે મતદાન વચ્ચે આજે હિંસા જોવા મળી છે ત્યારે પીએમ મોદીએ તેના પર મોટું નિવેદન આપ્યું છે.
બંગાળમાં ચૂંટણી વચ્ચે થઈ હિંસા
પીએમ મોદીએ કહ્યું કડક સજા આપે ચૂંટણી આયોગ
બંગાળની ધરતીએ કરી નાંખ્યું, મમતા જઈ રહ્યા છે : પીએમ મોદી
What happened in Cooch Behar is very saddening. My sympathies are with the families of those who died, I condole their demise. Didi & her goons are perturbed, seeing the people's support for BJP. She has stooped to this level as she can see her chair slipping away: PM in Siliguri pic.twitter.com/MMWPNtnLmj
પશ્ચિમ બંગાળમાં આજે ચોથા ચરણનું મતદાન કરવામાં આવી રહ્યું છે ત્યારે સિલિગુડીમાં પ્રધાનમંત્રી મોદીએ આજે મતદાન દરમિયાન થયેલી હિંસામાં મામલે મોટું નિવેદન આપ્યું. તેમણે અકહ્યું કે આજે જે લોકોના મોત થાય છે તેમના પ્રત્યે મારી સંવેદનાઓ છે. ભાજપના પક્ષમાં જનસમર્થન જોઈને દીદી અને તેમના ગુંડાઓમાં પરેશાની થઈ રહી છે. ખુરશી જતી જોઈને તે આ સ્તર પર ઉતરી આવ્યા છે. પીએમ મોદીએ દાવો કર્યો કે બંગાળની ધરતીએ એલાન કરી દીધું છે કે હવે TMC સરકાર જઈ રહી છે.
Didi, this violence, tactics of instigating people to attack the Security Forces, the tactics of obstructing the polling process will not protect you. This violence can't protect you from the 10 years of your ill-governance: PM Narendra Modi in Siliguri#WestBengalElections2021pic.twitter.com/yWJN7A5rdb
પીએમ મોદીએ કડક શબ્દોમાં કહ્યું કે હું દીદી અને તેમના ગુંડાઓને સાફ સાફ કહેવાય માંગુ છું એક દીદી અને TMCની મનમાની બંગાળમાં નહીં ચાલે. અમે ચૂંટણી આયોગને આગ્રહ કરીએ છીએ કે દોષિતો પર કડકમાં કડક સજા કરવામાં આવે. આ હિંસા, લોકોના સુરક્ષાદળો પર હુમલા, ચૂંટણીમાં ભંગ... આ બધુ દીદી તમને બચાવી નહીં શકે. તમારા 10 વર્ષના કૂકર્મોની રક્ષા આ હિંસા નહીં કરી શકે.
ભાજપની સરકાર બનવા જઈ રહી છે : પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે બંગાળની ધરતીએ એલાન કરી નાંખ્યું છે કે TMCની સરકાર જઈ રહી છે અને ભાજપની સરકાર આવી રહી છે. બંગાળમાં નવવર્ષની શરૂઆત થવા જઈ રહી છે. ભાજપની જીત થવા જઈ રહી છે. બંગાળમાં ત્રણેય ચરણમાં બમ્પર વોટિંગ થયું છે. ખાસ કરીને માતા અને બહેનો આશીર્વાદ આપી રહ્યા છે. હું શીશ ઝુકાવીને નમન કરું છું. પીએમ મોદીએ કહ્યું કે સોશ્યલ મીડિયા પર વીડિયો જોયો. દીદીના નજીકના મંત્રી અહિયાં લોકોને ધમકાવી રહ્યા છે કે ભાજપને વોટ આપ્યા તો ઉઠાવીને ફેંકી દેવામાં આવશે. શું આ યોગ્ય છે? દીદીના 10 વર્ષના રાજનું સત્ય આ જ છે.