રાહુલ ગાંધીએ બંગાળમાં પોતાની ચૂંટણી રેલીઓ રદ્દ કરી છે ત્યારે હવે મમતા બેનર્જી પણ કોલકાતામાં ચૂંટણી પ્રચાર નહીં કરે. અન્ય જિલ્લાઓમાં માત્ર 30 મિનિટ જ રેલી યોજશે.
રાહુલ ગાંધી બાદ મમતા બેનર્જીનું મોટું એલાન
કોલકાતામાં મમતા બેનર્જીનો ચૂંટણી પ્રચાર પૂર્ણ
કોરોનાના કારણે અન્ય જિલ્લાઓમાં માત્ર 30 મિનિટ કરશે રેલી
દેશમાં દિવસેને દિવસે રેકૉર્ડતોડ રહેલા કોરોના સંક્રમણના કેસ વચ્ચે ચાલી રહેલી પશ્ચિમ બંગાળ ચૂંટણીને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે. હવે રાહુલ ગાંધી બાદ ટીએમસી પ્રમુખ અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ એલાન કર્યું છે કે, તેઓ બાકીના તબક્કા માટે ચૂંટણી પ્રચાર નહીં કરે.
ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને ટ્વિટ કરીને માહિતી આપી છેકે, મમતા બેનર્જી હવે કોલકાતામાં ચૂંટણી પ્રચાર નહીં કરે. ડેરેક ઓ બ્રાયને ટ્વિટ કર્યું, બંગાળ ચૂંટણીને લઇને મુખ્યમંત્રી મમતા બેનર્જી હવે કોલકાતામાં પ્રચાર નહીં કરે. તેઓ પ્રતિકાત્મક રીતે શહેરમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે માત્ર એક બેઠક કરશે. બાકીના તમામ જિલ્લાઓમાં પણ તેમણે ચૂંટણી રેલીઓનો સમય ઘટાડી દીધો છે. હવે તેઓ માત્ર 30 મિનિટ જ રેલી કરશે.
Mamata Banerjee will NOT campaign in Kolkata anymore. Only one ‘symbolic’ meeting on the last day of campaigning in the city on April 26.
Slashes time for all her election rallies in all districts. Restricted to just 30 minutes. #BengalElection2021#Covid
— Derek O'Brien | ডেরেক ও'ব্রায়েন (@derekobrienmp) April 18, 2021
જણાવી દઇએ કે, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ પહેલા એ માંગ કરી હતી કે બંગાળના બાકી તબક્કાઓમાં ચૂંટણી એક સાથે કરાવવામાં આવે.
મમતા બેનર્જી પહેલા કોંગ્રેસ નેતા અને વાયનાડ સાંસદ રાહુલ ગાંધીએ પણ એલાન કર્યું હતું કે તેઓ કોરોના સંક્રમણના કારણે બંગાળમાં પોતાના આગામી ચૂંટણી રેલીઓ રદ્દ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ બંગાળમાં માત્ર 2 રેલીઓ કરી હતી.