તમે ટ્રેનમાં ઘણી મુસાફરી કરી હશે, પણ ક્યારેય નહીં વિચાર્યું હોય કે સંકટ સમયે ટ્રેનન પણ પાટા સાથે સાંકળ વડે બાંધી દેવામાં આવે છે
ગુજરાતમાં આવેલા વાવાઝોડા બાદ એક નવું વાવાઝોડું ઓડિશામાં ત્રાટક્યું
આ વાવાઝોડાને કારણે રેલવે વિભાગે કરવું પડ્યું આ કામ
ઓડિશાના તટ પર પહોંચ્યું વાવાઝોડું
ગુજરાતમાં આવેલા વાવાઝોડા બાદ એક નવું વાવાઝોડું ઓડિશામાં ત્રાટક્યું
ગુજરાત પર ત્રાટકેલા તૌકતે વાવાઝોડાના કારણે ગુજરાતના ઘણા ગામડાઓમાં હજી સુધી અંધારપાટ છવાયો છે ત્યાં જ ઓડિશા માં બીજું વાવાઝોડું યાસ ત્રાટકી ગયું છે. બંગાળની ખાડીમાંથી આવનાર સાયક્લોન "યાસ" ઓડિશામાં આવી ગયું છે. ભારતના હવામાન વિભાગના નિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાનું કહેવું છે કે આ સાયક્લોનના કારણે ઝારખંડ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આજે અને આવતીકાલે એટલે કે 26-27 મે ના રોજ મુશળધાર વરસાદ થશે. તેમણે કહ્યું કે હાલ તે જમીન સાથે ટકરાઇ ગયું છે અને તેની ઝડપ 130 થી 140 કિલોમીટર પ્રતિ કલાકની છે. જે ઓડિશાના તટને પાર કરી ગયું છે. એક જાણકારી માટે તમને જણાવી દઈએ કે યાસનો અર્થ પર્શિયન ભાષામાં જેસ્મિનનું ફૂલ એમ થાય છે.
VSCS ‘YAAS’ CROSSED NORTH ODISHA COAST ABOUT 20 KM SOUTH OF BALASORE DURING 1030 TO 1130 HOURS IST OF TODAY WITH ESTIMATED WIND SPEED OF 130-140 KMPH GUSTING TO 155 KMPH.THEN MOVED NW-WARDS AND AT 1130 HRS IST,CENTRED NEAR 21.4°N/86.9°E ,ABOUT 15 KM SSW OF BALASORE. pic.twitter.com/mVfI55lg1l
— India Meteorological Department (@Indiametdept) May 26, 2021
આ વાવાઝોડાને કારણે રેલવે વિભાગે કરવું પડ્યું આ કામ
આ વાવાઝોડું કેટલું ભયંકર છે તેનો અંદાજો એ વાત પરથી જ લાગી જાય છે કે જે જે રાજયોમાંથી આ વાવાઝોડું પસાર થવાનું છે ત્યાં ટ્રેનોનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે અને કેટલીય ટ્રેનોના પૈડાઓને સાંકળ વડે રેલ્વે ટ્રેક સાથે બાંધી દેવામાં આવ્યા છે. હજારો ટનનું વજન ધરાવતી આ ટ્રેનને સાંકળ વડે પાટા સાથે બાંધી દેવું એ ઘણું આશ્ચર્ય સર્જે છે. તેનાથી ક્યાસ કાઢી શકાય કે આ વાવાઝોડું કેટલું ખતરનાક હશે.
ઓડિશાના તટ પર પહોંચ્યું વાવાઝોડું
આ વાવાઝોડું હાલ ઓડિશામાં પહોંચી ગયું છે. જાણકારી અનુસાર ઓડિશામાં હાલ તેજ ગતિએ પવન ફૂંકાય રહ્યો છે અને સાથે વરસાદ પણ પડી રહ્યો છે. દરિયામાં રહેલ પાણીનું સ્તર વધી ગયું છે. જેના કારણે ઉંચા મોજા ઊછળી રહ્યા છે અને સતત વરસાદ ચાલુ જ છે. કેટલાય રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગના કહ્યા મુજબ આ પવનની ગતિ હજી પણ વધી શકે તેમ છે. પશ્ચિમ બંગાળના કાંઠાના વિસ્તારોમાં પણ હાલ વરસાદ પડી રહ્યો છે.