કોરોનાને રોકવા માટે દુનિયાભરના વિશેષજ્ઞો રસી વિકસાવવામાં લાગ્યા છે. આ દરમિયાન રસી અને કોરોનાને લઈને ગ્લોબલ સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ચોંકાવનારી બાબત સામે આવી છે. સર્વે વૈશ્વિક સ્તર પર 4માંથી એક વ્યક્તિ કોરોનાની રસી નથી લેવા માંગતી. એનું કારણ રસી અને તેના કારણે થતી સાઈડ ઈફેક્ટને લઈને તેની શંકા છે. પરંતુ ભારતમાં આવા લોકોની સંખ્યા 13 ટકા ઓછી છે. આ સર્વે મંગળવારે રિલીઝ કરવામાં આવ્યો છે.
સર્વે વૈશ્વિક સ્તર પર 4માંથી એક વ્યક્તિ કોરોનાની રસી નથી લેવા માંગતી
ઈપ્સોર્સએ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ માટે 27 દેશોમાં સર્વે કર્યો છે
સર્વેમાં ભાગ લેનાર 20 હજાર લોકો કોરોના વેક્સીન બનાવવા અને તેના ડોઝ લેવા પર સવાલ કર્યા છે
રિપોર્ટમાં જણાવ્યાનુંસાર શોધ સંસ્થા ઈપ્સોર્સએ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ માટે 27 દેશોમાં સર્વે કર્યો છે. સર્વેમાં ભાગ લેનાર 20 હજાર લોકો કોરોના વેક્સીન બનાવવા અને તેના ડોઝ લેવા પર સવાલ કર્યા છે. 74 ટકા વયસ્ક લોકોએ કહ્યુ કે જો રસી આવે છે તો તે તેને લેવા ઈચ્છશે. સર્વેમાં ભારતીયોને ચીન અને સાઉદી અરબ બાદ 3 મોટી આશાવાદી આબાદીના રુપમાં જોવામાં આવી રહ્યું છે. જેમને લાગે છે કે 2020માં કોરોનાની રસી આવી જશે. જ્યારે કે અડધાથી વધારે અશક્યતા વ્યક્ત કરી છે કે આ વર્ષના અંત સુધીમાં કોઈ રસી મળશે નહીં.
ચીનમાં સૌથી વધારે 97 ટકા લોકોએ રસી બનાવવા માટે સહમતિ દર્શાવી અને રસી લગાવવા માટે પણ હામી ભરી છે. સૌથીા ઓછા રશિયા 54 ટકા લોકોએ રસીના મામલામાં રસ દાખવ્યો છે. ઉલ્લેખનીય છે કે ચીનની 3 રસી ટ્રાયલના છેલ્લા ફેઝમાં છે. જ્યારે રશિયાની રસીના ટ્રાયલ ન થવાના કારણે સમીક્ષા કરાઈ રહી છે.
સર્વેમાં જે દેશોમાં કોરોનાની રસીકરણનો ઈરાદો સૌથી વધારે જોવા મળ્યો, તેમાં ચીનમાં 97 ટકા, બ્રાઝિલ, 88 ટકા, ઓસ્ટ્રેલિયામાં 88 ટકા અને ભારતમાં 87 ટકા છે. જ્યારે સૌથી ઓછા રશિયા 54 ટકા, પોલેન્ડ 56 ટકા, હંગરી 56 ટકા અને ફાન્સમાં 59 ટકા છે. સર્વેક્ષણ કરવામાં આવેલા દેશોમાં અમેરિકા, કેનેડા, મલેશિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, દક્ષિણ કોરિયા, પેરુ, આર્જેન્ટિના, મોસ્કો, સ્પેન , નેધરલેન્ડ, સ્વીડન અને ઈટલીનો સમાવેશ થાય છે.