જૂનાગઢ કૃષિ મહાવિદ્યાલયમાં 14 ડિસેમ્બર 2021ના રોજ થયેલા ઇ-ઉદ્ઘાટન બાદ તકતીમાં પોરબંદરના સાંસદ રમેશ ધડૂકનું નામ જ નહોતું. તકતીમાં નામ ના જોતા સાંસદ આગ બબૂલા.
પોરબંદરના સાંસદનો પિત્તો ગયો
તકતીમાં નામ નાં હોવાથી ગિન્નાયા
લોકાર્પણમાં પહોચ્યા હતા સાંસદ
જન પ્રતિનિધિ હોય,જનતાના માટે ચૂંટાયા હોય ત્યારે જાહેર કાર્યક્રમમાં આગતા-સ્વાગતા અને માન-મોભાને શોભે એ રીતે વ્યવસ્થા હોવી જોઈએ. કોઈ કાર્યક્રમનું ઉદ્ઘાટન હોય, અનાવરણ હોય તો સ્વાભાવિક રીતે જ જન પ્રતિનિધિના નામ હોવા જ જોઈએ. પણ જૂનાગઢ કૃષિ મહાવિદ્યાલયમાં એવું થયું કે, 14 ડિસેમ્બર 2021ના રોજ થયેલા ઇ-ઉદ્ઘાટન બાદ તકતીમાં પોરબંદરના સાંસદ રમેશ ધડૂકનું નામ જ નહોતું. કસ્તુરબા ગર્લ્સ હોસ્ટેલના બિલ્ડિંગના લોકાર્પણમાં પહોંચેલા સાંસદ ધડૂક, તકતીમાં નામ ના જોતા આગ બબૂલા થઇ ઉઠ્યા હતા.
કૃષિ મહાવિદ્યાલયનું 14 ડિસેમ્બર 2021ના રોજ ઇ-ઉદ્ઘાટન થયું હતુ. આ બાદ કસ્તુરબા ગર્લ્સ હોસ્ટેલના બિલ્ડિંગના લોકાર્પણમાં પોરબંદરના સાંસદ રમેશ ધડૂક પહોચ્યા હતા.લોકાર્પણ પહેલા કૃષિ મહાવિદ્યાલય ભવનની મુલાકાત લીધી હતી જ્યાં ઉદ્ઘાટનની તકતીમાં ધારાસભ્ય કે સાંસદના નામ જ નહોતા. આ જોઇને સાંસદ ધડૂકનો પિત્તો ખસી ગયો અને જૂનાગઢ કૃષિ યુનિ.ના કુલપતિ નરેન્દ્ર ગોટિયાનો ઉધડો લઈને કૃષિ મહાવિદ્યાલયની તકતી બદલવા માગણી કરી હતી.