ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલા નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 7 સેમીનો વધારો થયો છે.
હાલ નર્મદા ડેમની સપાટી 121.10 મીટરે પહોંચી. હાલ ડેમમાં 12,466 ક્યુસેક પાણીની આવક થઈ છે. 6326 ક્યુસેક કેનાલમાં, 634 ક્યુસેક્સ પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જો કે ઉપરવાસમાંતી પાણીની આવકમાં ઘટાડો થયો છે. હાલ ડેમમાં 5117.28 MCM પાણીનો જથ્થો જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલા નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. મધ્યપ્રદેશમાં જોવા મળી રહેલા ભારે વરસાદ અને મધ્યપ્રદેશના ઈન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડવામાં આવતાં નર્મદા ડેમમાં પાણીની આવક વધી રહી છે.
ગઇકાલે પાણીની આવક વધતાં ડેમની જળસપાટી 121.02 મીટરે પહોંચી ગઈ હતી. છેલ્લા 24 કલાકથી ડેમની જળસપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગઇકાલે ડેમમાં 1300 MCM પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો જોવા મળ્યો હતો. ડેમની જળસપાટીમાં વધારો થતાં ગુજરાતના ખેડૂતો માટે મેઈન કેનાલમાં 6 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
નર્મદા સરદાર સરોવર ડેમની ભયજનક સપાટી 121.92 મીટર છે. આમ સતત છેલ્લા કેટલાક દિવસથી મધ્ય પ્રદેશ તેમજ આસપાસના વિસ્તારોમાં થઇ રહેલા ભારે વરસાદના પગલે ગુજરાતની જીવા દોરી સમાન ગણાતાં નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા અષાઢી બીજથી નહેરોમાં નર્મદા ડેમનું પાણી ખેડૂતો માટે છોડવામાં આવશે તેવી જાહેરાત કર્યા બાદ હાલમાં નહેરમાં નર્મદા ડેમનું પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થતાં રાજ્યના ખેડૂતો માટેની કેનાલમાં 6 હજાર ક્યુસેક પાણી ખેતીને લઇને છોડાઇ રહ્યું છે.