ઉત્તર પ્રદેશમાં મદરેસા બાદ હવે વક્ફ સંપત્તિઓનો પણ સર્વે થશે. રાજ્યની યોગી સરકારે વક્ફ સંપત્તિઓના રેવન્યૂ રેકોર્ડમાં નોંધવાનો આદેશ આપ્યો છે.
ઉત્તર પ્રદેશમાં મદરેસા બાદ હવે વક્ફ સંપત્તિઓના સર્વે થશે
યોગી સરકારે લીધો મોટો નિર્ણય
વિપક્ષી પાર્ટીઓએ કર્યા સરકાર પર સવાલો
ઉત્તર પ્રદેશમાં મદરેસા બાદ હવે વક્ફ સંપત્તિઓનો પણ સર્વે થશે. રાજ્યની યોગી સરકારે વક્ફ સંપત્તિઓના રેવન્યૂ રેકોર્ડમાં નોંધવાનો આદેશ આપ્યો છે. વક્ફના નામથી રેકોર્ડમાં નોંધણી કરવામાં આવશે. વક્ફ સંપત્તિઓની સમગ્ર જાણકારી આપવાની રહેશે. વક્ફની સંપત્તિઓના ગેરકાયદેસર વેચાણને રોકવા માટે આ સર્વે થશે. શિયા અને સૂન્ની વક્ફ બોર્ડની સંપત્તિની પણ તપાસ કરાશે.
આપને જણાવી દઈએ કે, હાલમાં થોડા દિવસ પહેલા યોગી સરકારે મદરેસાનો સર્વે કરાવાનો નિર્ણય કર્યો હતો. તમામ જિલ્લાના કલેક્ટરોની નેતૃત્વમાં ટીમનું ગઠન કર્યું છે. ટીમે મદરસોના સર્વે કરવાનું શરુ કર્યું છે. 15 ઓક્ટોબર સુધી મદરેસાનો સર્વે કરીને શાસનને રિપોર્ટ સોંપવાનો છે. સમગ્ર રાજ્યમાં કુલ 16,500 માન્યતા પ્રાપ્ત મદરેસા છે. તેમાંથી 558 અનુદાનિત મદરેસા છે અને 7442 આધુનિક મદરેસા છે. આ તમામ મદરેસામાં કુલ 19 લાખથી વધારે બાળકો અભ્યાસ કરે છે.
વિપક્ષી પાર્ટીઓ ઉઠાવ્યા સવાલ
તો વળી મદરેસાના સર્વે કરાવવા પર સરકારના નિર્ણથી વિપક્ષે સવાલો ઊભા કર્યા છે. સમાજવાદી પાર્ટી, બસપા, એઆઈએમઆઈએમ સહિત તમામ મુસ્લિમ સંગઠનોએ તેનો વિરોધ કર્યો છે. મુસ્લિમ સંગઠનોનું કહેવુ છે કે, મદરેસામાં અભ્યાસ કરવો તેમનો સંવૈધાનિક અધિકાર છે. તેની તપાસનું શું ઔચિત્ય છે ? તો વળી 18 સપ્ટેમ્બરે સહારનપુર જિલ્લાના દારુલ ઉલૂમ દેવબંઘમાં લગભગ 500 મૌલાના બેઠક થઈ હતી, જેમાં સરકારના સર્વે કરાવવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે.
મદનીએ સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું
દારુલ ઉલૂમે બેઠક બાદ જમીયત- ઉલેમા-એ-હિન્દની અધ્યક્ષતા મૌલાના અરશદ મદનીએ કહ્યું કે, કોઈ મદરેસા દેશના સંવિધાન વિરુદ્ધ નથી. જો એક બે મદરેસા યોગ્ય રીતે કામ નથી કરતા તો સમગ્ર મદરેસા તંત્ર પર આરોપ ન લગાવી શકે. અરશદ મદનીએ કહ્યું કે, સરકાર દ્વારા કરાવામા આવતા મદરેસાના સર્વેને લઈને કોઈ પણ વાંધો નથી. અમે સરકારના સર્વેને આવકારીએ છીએ.