ગઈકાલે ન્યૂઝીલેન્ડ સામે જીત બાદથી ભારતીયોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. મેચમાં ખુબ રસાકસી જોવા મળી હતી અને આખરે સુપરઓવરમાં ભારતે જીત નોંધાવી હતી. જીત બાદ સુપરઓવરના સુપરહિટ રોહિત શર્મા સોશિયલ મીડિયામાં છવાઈ ગયા હતા. લોકોએ અલગ અલગ મીમ શેર કાર્ય હતા ત્યારે પૂર્વ દિગ્ગજ ખેલાડીએ એવી પોસ્ટ કરી છે ખુબ વાયરલ થઇ રહી છે.
ન્યુઝીલેન્ડ સામે ભારતની ભવ્ય જીત
પૂર્વ ખેલાડીએ લખ્યું 'ઐસા લગતા હૈ અપુન ઈચ ભગવાન હૈ !'
જોકે રોહિત શર્માએ જીતનો શ્રેય શમીને આપ્યો
ભારતીય ટીમ ત્રીજી T 20 મુકાબલામાં ભારે રસાકસી બાદ ન્યૂઝીલેન્ડ સામે વિજયી બની. સુપરઓવરમાં માત આપીને ભારતીય ટીમ પહેલીવાર ન્યૂઝીલેન્ડની ધરતી પર સીરીઝ જીતી. હવે 31મી જાન્યુઆરીના રોજ ચોથી મેચ યોજાશે. આ મેચના હિરો રોહિત શર્મા રહ્યા જેમણે ભારતીય ટીમ માટે સુપરઓવરમાં છેલ્લી બે બોલ પર બે સિક્સ ફટકારી. સુપરઓવરમાં જીત માટે ભારતીય ટીમને 18 રનની જરૂર હતી જેમાં 15 રન રોહિત શર્માએ કર્યા હતા.
રોહિત શર્મા છેલ્લાં ઘણા સમયથી ખુબ સારું પ્રદર્શન કરી રહ્યા છે. રોહિત શર્મા ખુબ સારા ફોર્મમાં છે જેનો ફાયદો ટીમને પણ થઇ રહ્યો છે. રોહિત શર્માએ ઘણા રેકોર્ડ પણ તોડ્યા છે. મેચમાં સારું પ્રદર્શન કાર્ય બાદ રોહિત શર્માના ખુબ વખાણ કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયામાં લોકોએ રોહિત શર્માના ખુબ વખાણ કાર્ય હતા
વીરેન્દ્ર સેહવાગે કરી પોસ્ટ
ત્યારે એક દિગ્ગજ ખેલાડીની કોમેન્ટ ખૂબ વાયરલ થઇ રહી છે. પૂર્વ વિસ્ફોટક ખેલાડી વીરેન્દ્ર સેહવાગે તેમના અલગ જ અંદાજમાં રોહિતના વખાણ કર્યા. તેમણે સોશિયલ મીડિયામાં લખ્યું કે 'ઐસા લગતા હૈ અપુન ઈચ ભગવાન હૈ ! જે રીતે રોહિતે અસંભવને સંભવ કરી દીધું તેના આ પર આ લાઈન બિલકુલ ફીટ બેસે છે. પરંતુ ચાર બોલમાં 2 રનનો બચાવ કરવો પણ ખુબ અસાધારણ કામ છે જે શમીએ કર્યું છે. આ જીત યાદગાર છે.'વીરેન્દ્ર સેહવાગ જ નહીં પૂર્વ ઓપનર શ્રીકાંત અને યુવરાજ સિંહે પણ રોહિતના અલગ અલગ અંદાજમાં વખાણ કર્યા છે. યુવરાજે કહ્યું કે ભાઈ તમે શાનદાર છો.
જીતના અસલી નાયક શમી
નોંધનીય છે કે રોહિત શર્માએ પહેલીવાર સુપરઓવરમાં આવું પ્રદર્શન કર્યું છે. આ પહેલાં પણ રોહિત શર્મા સુપરઓવરમાં રમી ચુક્યા છે પરંતુ આ વખતે તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું. જોકે બાદમાં રોહિત શર્માએ કહ્યું હતું કે આ મેચનાં અસલી નાયક તે નહીં મોહમ્મદ શમી છે. કારણ કે અંતિમ ઓવરોમાં જે રીતે શમીએ બાજી પલટી અને રન રોક્યા તેને કારણે જ મેચ ડ્રો થઇ અને સુપર ઓવરનો મોકો મળ્યો હતો.