દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતિ પર થયેલી હિંસાનો રિપોર્ટ પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રાલયને સોંપી દીધો છે.
જહાંગીરપુરીમાં થયેલી હિંસાનો રિપોર્ટ તૈયાર
દિલ્હી પોલીસે કેન્દ્રને સોંપ્યો રિપોર્ટ
રિપોર્ટમાં કહી આ વાત
દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતિ પર થયેલી હિંસાનો રિપોર્ટ પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રાલયને સોંપી દીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુનાહિત ષડયંત્ર અંતર્ગત જહાંગીરપુરીમાં હિંસા થઈ હતી. દિલ્હી પોલીસ શું શું પગલા લીધા તેની જાણકારી પણ આ રિપોર્ટ્સમાં આપવામાં આવી છે. દિલ્હી પોલીસે રિપોર્ટ્માં સમગ્ર ઘટનાક્રમની જાણકારી આપી છે. તેણે અત્યાર સુધીમાં કરેલી કાર્યવાહી તેમાં વિગતવાર જણાવી છે. રિપોર્ટમાં જણાવ્યું છે કે, ઘટનામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં 24 લોકોની ધરપકડ થઈ
આ મામલામાં અત્યાર સુધીમાં 24 લોકોની ધરપકડ થઈ ચુકી છે. જેમાંથી 21 લોકો પુખ્ત અને 3 લોકો સગીર છે. રિપોર્ટમાં દિલ્હી પોલીસે શનિવાર સાંજે થયેલી ઘટનાની જાણકારી આપતા કહ્યું કે, આ ઘટના અસામાદિક તત્વોનું જાણી જોઈને કરેલુ ષડયંત્રનો ભાગ હતો. જેને દિલ્હી પોલીસ સમય રહેતા નિષ્ફળ કર્યું છે. દિલ્હી પોલીસે આ રિપોર્ટમાં જણાવ્યું છે કે, આ કેસના તમામ એંગલથી જોવામાં આવી રહ્યો છે.
ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપી
ધરપકડ કરવામાં આવેલા આરોપીમાંથી એક શખ્સ પહેલા પુખ્ત ગણાવ્યો હતો, પણ જ્યારે તેના પરિવારના લોકો સગીર હોવાના પુરાવા પોલીસ સામે રજૂ કર્યા તો, તેને બાલ સુધાર ગૃહમાં મોકલી દેવામાં આવ્યો, આ અગાઉ આ કેસમાં ફક્ત બે સગીરની ધરપકડ થઈ હતી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં કુલ 8 લોકો ઘાયલ થયા હતા. કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.
મસ્જિદ પર ભગવો ઝંડો ફરકાવવાની વાત ખોટી
દિલ્હી પોલીસે એ સ્પષ્ટ કર્યું છે કે મસ્જિદ પર ભગવો ઝંડો ફરકાવાની વાત ચાલી રહી હતી, તે એકદમ નિરાધાર છે. દિલ્હી પોલીસે રિપોર્ટમાં જણવ્યા અનુસાર આ મામલામાં અત્યાર સુધીમાં આવેલા વીડિયો, હથિયાર ચલાવાની ઘટનાઓની તમામ પ્રકારની ફોરેન્સિક બેલેસ્ટિક તપાસ કરવામાં આવી છે. જેના આધાર પર ઓળખાણ કર્યા બાદ લોકોની ધરપકડ કરવામા આવી છે.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર ગુનાહિત ષડયંત્રની કલમ 120બી પણ લગાવામાં આવી છે. આ કલમ એટલા માટે લગાવામાં આવી છે કે, આ મામલાની મોટા પાયે તપાસ થઈ શકે અને દંગા કરનારા લોકો પાછળ કોનું મગજ ચાલી રહ્યું છે, તે પણ જાણી શકાય.
અહીં ઉલ્લેખનીય છે ગત શનિવાર સાંજે જહાંગીરપુરી વિસ્તારમાં એક શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે દરમિયાન બે પક્ષો વચ્ચે વિવાદ થયો હતો, જે બાદ હિંસા ભડકી ઉઠી હતી અને પથ્થરમારો પણ થયો હતો.