યુપીના લખીમપુર ખીરીના તિકુનિયા વિસ્તારમાં એક કાર ચાલકે ખેડૂતો પર ગાડી ચડાવી દેતા આ દુર્ઘટનામાં બે ખેડૂતોના મોત થયા છે ત્યારે આઠ લોકો ઘાયલ થયા છે
યુપીના લખીમપુર ખીરીના તિકુનિયામાં મોટી બબાલ
મંત્રીના કાફલાની ગાડીઓ નીચે કચડાયા બે ખેડૂતો
ઉશ્કેરાયેલા ખેડૂતોએ સાંસદના પુત્રની બે ગાડીઓને સળગાવી મૂકી
લખીમપુર ખીરીમાં ખેડૂતો ડેપ્યુટી ચીફ મિનિસ્ટર કૈશવ પ્રસાદ મૌર્યની સામે પ્રદર્શન કરવા જઈ રહ્યાં હતા ત્યારે કોઈ અજાણ્યા કાર ચાલકે ખેડૂતો પર કાર ચડાવી દીધી જેમાં બે ખેડૂતોના મોત થયા બાદ મોટી બબાલ થઈ હતી.
ખેડૂતોએ ત્રણ ગાડીઓને આગને હવાલે કરી દીધી હતી.
લખીમપુર ખીરીમાં કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રીના તેમના ગામના પ્રવાસે આવવાના હતા. ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય તેમને રિસિવ કરવા આવવાના હતા પરંતુ તેમના આગમન પહેલા ખેડૂતોએ હેલિપેડ પર કબજો જમાવી દીધો હતો અને તેમને અહીં ઉતરવા દેવા માગતા નહોતા. પ્યુટી સીએમને રિસિવ કરવા આવેલા ભાજપ નેતાના પુત્ર આશીષ મિશ્રાની સામે વિરોધ દરમિયાન ખેડૂતો સાથે ટક્કર થઈ હતી. આરોપ છે કે ભાજપના નેતાઓએ ખેડૂતો પર ગાડી ચડાવી દીધી જેમાં 3 લોકોના મોત થયા હતા તથા 8 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાથી ઉશ્કેરાયેલા ખેડૂતોએ 2 ગાડીઓને સળગાવી મૂકી હતી.
રવિવારે લખીમપુર ખેરીના સાંસદ અને ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ ઉર્ફે મોનુ મિશ્રાએ ખેડૂતો પર કાર ચલાવી હતી. નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને કાળા ઝંડા બતાવવા માટે ખેડૂતો ટીકુનિયા ખાતે ઉભા હતા. જેના કારણે રોષે ભરાયેલા ખેડૂતોએ બે વાહનોને આગ ચાંપી દીધી હતી. હંગામો થયાની માહિતી મળતાની સાથે જ ભારે પોલીસ બંદો ટીકુનિયા પહોંચી ગયો છે.
એસપી અને ડીએમ સ્થળ પર હાજર
જણાવી દઈએ કે કેશવ પ્રસાદ મૌર્ય રવિવારે લખીમપુર ખેરીમાં ગૃહ રાજ્યમંત્રીના વતન ગામમાં કાર્યક્રમમાં પહોંચવાના હતા. આ પહેલા પણ ખેડૂતો અને ભાજપના કાર્યકરો વચ્ચે હંગામો થયો હતો. પરિસ્થિતિને જોતા એસપી અને ડીએમ સહિત ભારે પોલીસ ફોર્સ ઘટનાસ્થળે હાજર છે.