વર્ષ 1993માં કોઈ ખેલાડી 113.29 રનની સ્ટ્રાઈક રેટથી રન બનાવે તો વિચારો એ કેટલો ખતરનાક બેટર હશે. એ વર્ષે એમનો બેસ્ટ સ્કોર 224 અને 227 હતો.
વર્ષ 1993માં આ ખેલાડી એ 113.29 રનની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા
વર્ષ 2019માં મુંબઈ ટી-20 લીગની એક મેચમાં કોચિંગ કરી હતી
બીસીસીઆઈ તરફથી દર મહિને મળતા 30 હજાર રૂપિયાથી ઘર ચાલે છે
ભારતમાં બોલીવુડ કરતાં પણ વધુ ફેન્સ ક્રિકેટના છે અને જે લોકો ક્રિકેટના ફેન્સ છે એ લોકો જાણે છે કે લગભગ 30 વર્ષ પહેલા વિનોદ કાંબલીએ તેના શરૂઆતી સાત મેચમાં 793 રન બનાવીને લોકો વચ્ચે એક અલગ ઓળખ ઊભી કરી લીધી હતી. વર્ષ 1993માં કોઈ ખેલાડી 113.29 રનની સ્ટ્રાઈક રેટથી રન બનાવે તો વિચારો એ કેટલો ખતરનાક બેટર હશે. એ વર્ષે 224 અને 227 એમનો બેસ્ટ સ્કોર હતો.
Some old pictures, but these are very special to me.
Seeing these, I live the moment which is very close to my heart. It would not be wrong to say that even today I love & live cricket. 🏏#ThrowbackThursdaypic.twitter.com/cMInwQYdmB
સ્ટાર પ્લેયર હાલ બેરોજગાર
હવે અમે તમને કહીએ કે એ સમયનો ભારતનો સ્ટાર પ્લેયર હાલ બેરોજગાર છે તો શું તમને આ વાત પર ભરોસો આવે? અને એ તેની બેરોજગારીથી આટલી હદ સુધી પરેશાન છે કે તેનો પરિવાર ચલાવવા તે મેદાન પર કોઈ પણ પ્રકારનું કામ કરવા માટે તૈયાર છે. 50 વર્ષની આસપાસના વિનોદ કાંબલીને હાલ કોઈ લોકો જુએ તો પહેલી નજરમાં ઓળખી શકે નહીં. એક સમયે મેદાનમાં ધૂમ મચાવવાવાળા કાંબલીની સ્ટાઈલ લોકો કોપી કરતાં હતા અને આજે સામાન્ય વ્યક્તિ તરીકે સફેદ દાઢી અને માથા પર ટોપી પહેરી કાંબલી સામાન્ય કપડામાં નજર આવ્યા હતા. સાથે જ તેની પાસે રહેલ મોબાઈલ ફોનની સ્ક્રીન પણ તૂટેલ જોવા મળી હતી.
પેન્શનથી ચાલે છે ઘર
વિનોદ કાંબલીને બીસીસીઆઈ તરફથી દર મહિને 30 હજાર રૂપિયા પેન્શન મળે છે અને એ પેન્શન તેની પાસે એકમાત્ર કમાણીનો રસ્તો છે અને એ વાત માટે તેઓ આજે પણ બીસીસીઆઈના આભારી છે. છેલ્લી વખત કાંબલીએ વર્ષ 2019માં મુંબઈ ટી-20 લીગની એક મેચમાં કોચિંગ કરી હતી.
Can't believe what has happened...still trying to process. Shane Warne was one of my really good friends. Rest in Peace Warney.
Life is so unpredictable! pic.twitter.com/sRPwolQHDV
સચિન પાસે કોઈ ઉમ્મીદ નથી રાખતો
હવે કાંબલીની વાત ચાલે છે અને તેની સાથે સચિન યાદ ન આવે એવું કેવી રીતે બની શકે. તેની હાલત વિશે વાત કરતાં કાંબલીએ કહ્યું હતું કે 'સચિન મારી સ્થિતિ વિશે બધુ જાણે છે અને હું તેની પાસે કોઈ ઉમ્મીદ નથી રાખતો.તેને મને TMGA એકેડેમીનો કાર્યભાર સોંપ્યો હતો અને એ સમયે હું ઘણો ખુશ હતો. એ મારો ઘણો સારો મિત્ર છે અને હંમેશા મારી સાથે ઊભો રહે છે.'
ભારત માટે વર્ષ 2000માં કાંબલીએ કહેલી વખત મેચ રમી હતી. માત્ર 17 મેચ રમીને તેઓ ટીમની બહાર થઈ ગયા હતા. 23 વર્ષની ઉંમરે એમને તેની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી અને તેમાં 54 રન બનાવ્યા હતા. એ પછી એ ક્યારેય ટીમમાં પરત ફર્યા નહતા.