સીએમ વિજય રૂપાણી સુરતમાં ઘટના સ્થળે મુલાકાત માટે પહોંચ્યા હતા. જ્યાં તેઓ ઇજાગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી. તમને જણાવી દઇએ સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડ કોર્મોશીયલ કોમ્પેલક્ષમાં લાગેલી વિકરાળ આગની ઘટનામાં 21લોકોના મોત થઈ ગયા. જીઇબીના ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થવાને કારણે આગ લાગી હતી.
ઉલ્લેખનીય છે કે, ટ્રાન્સફોર્મર બિલ્ડિંગથી સાડા ત્રણ ફૂટ દૂર હોવાથી અને બિલ્ડિંગમાં એસી લગાવેલા હોવાથી જોતજોતામાં આગે વીકરાળ રૂપ ધારણ કર્યું હતું. આગે તક્ષશિલા આર્કેડના બહાર નીકળવાના ગેટને પણ ઝપેટમાં લઈ લીધો હતો. જેને લઇ કોમ્પલેક્ષમાં 40થી વધુ લોકો માટે જીવ બચાવવા બહાર નીકળવાનો રસ્તો બંધ થઈ ગયો.
Gujarat CM Vijay Rupani visits hospital to meet those injured in fire at coaching centre in Surat; says, "I'm told that due to fire in the staircase, several people jumped from the 4th floor of the building to escape. Have ordered enquiry". 20 people have died in the incident pic.twitter.com/h27hRa2Iav
પરિણામે બીજા માળે કલાસીસમાંથી ત્રીજા માળે ટેરેસ પર ભાગ્યા હતા. એટલામાં આગની જ્વાળાઓ છેક ટેરેસ સુધી પહોંચી જતા કેટલાક વિદ્યાર્થીઓએ તો જીવ બચાવવા માટે ત્રીજા માળેથી છલાંગ મારી દીધી હતી.
જેમાં ગંભીર ઈજાઓ પણ થઈ હતી. આ સમગ્ર ઘટના મામલે મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા અને કહ્યું હતું કે ઘાયલોની મફત સારવાર કરાવાશે. અને જરૂર પડ્યે ઘાયલોને એઈમ્સમાં સારવાર માટે ખસેડાશે.
વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ
સુરતના તક્ષશિલા એપાર્ટમેન્ટના ચોથા માળે ચાલતા ટ્યૂશન ક્લાસિસમાં ભીષણ આગ લાગવાની ઘટના બનતા 17 જેટલા વિદ્યાર્થીઓના મોત થતાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું.