તમે મહાભારતના મહાત્મા વિદુર અંગે તો સાંભળ્યું હશે અને વાંચ્યુ હશે. તેમણે પોતાની વિદુર નીતિમાં જણાવ્યું છે કે આપણે ત્રણ પ્રકારના લોકોને ક્યારેય પણ પૈસા ઉધાર આપવા ના જોઈએ. આવા લોકો પૈસાને ક્યારેય પાછા આપતા નથી.
આ ત્રણ પ્રકારના લોકોને ભૂલથી પણ પૈસા ઉધાર ન આપશો
વિદુર નીતિમાં કરવામાં આવ્યો છે ઉલ્લેખ
આવા લોકો પૈસા લીધા બાદ ક્યારેય પૈસા પાછા આપતા નથી
ત્રણ પ્રકારના લોકોને ભૂલથી પણ રૂપિયા ન આપવા જોઈએ
ભારતમાં મહાત્મા વિદુર અને ચાણક્ય બે એવા મહાન રાજકારણી થયા છે. જેણે દેશ, સમાજ, પરિવાર અને ધન સાથે જોડાયેલી ઘણી એવી વાતો જણાવી છે, જે આટલા વર્ષો બાદ એટલી જ પ્રાંસંગિક છે. મહાત્મા વિદુર મહાભારત કાળમાં હસ્તિનાપુરના મહામંત્રી હતા. તેઓ એક દૂરદર્શી અને બુદ્ધીમાન વ્યક્તિ હતા. તેમણે મહાભારતના યુદ્ધને ટાળવા માટે અનેક પ્રયાસો કર્યા. પરંતુ દુર્યોધન પોતાની જીદ પર અડગ રહ્યો હતો. જેને પગલે દેશને આટલુ મોટુ યુદ્ધ જોવુ પડ્યુ. મહાત્મા વિદુરે પોતાની વિદુર નીતિમાં કહ્યું છે કે ત્રણ પ્રકારના લોકોને ભૂલથી પણ રૂપિયા ન આપવા જોઈએ. આવા લોકો નાણા લીધા બાદ પૈસા ક્યારેય પાછા આપતા નથી અને પોતાનુ ધન ડૂબી જાય છે. આવો જાણીએ કે આ પ્રકારના લોકો કોણ હોય છે.
ભરોસાપાત્ર ન હોય તેવા લોકોથી બચીને રહો
મહાત્મા વિદુર તેની વિદુર નીતિમાં કહે છે કે જે લોકો ભરોસાપાત્ર ન હોય એવા લોકોને ભૂલથી પણ નાણાં ઉધાર ન આપવા જોઈએ. આવા લોકોને પૈસા આપ્યા બાદ પૈસા પાછા આવતા નથી. એવા લોકોની નિયત શરૂઆતથી જ ખોટી હોય છે. આવા માણસો પોતાના મિત્ર-સંબંધીઓમાંથી એક-એક કરીને ઉધાર લે છે અને આપવાના સમયે અલગ-અલગ બહાના આગળ ધરીને ટલ્લાવતા રહે છે. આવા લોકો સંબંધ ખરાબ કરતા પણ ખચકાતા નથી.
ખોટા કામ કરનારા લોકોને પૈસા ન આપશો
નીતિ શાસ્ત્રમાં મહાત્મા વિદુર વર્ણન કરે છે કે જે લોકો પૈસાનો ખોટો ઉપયોગ કરે છે, એવા લોકોને નાણાં ઉધાર આપતા બચવુ જોઈએ. આવા લોકોને ઉધાર આપવામાં આવેલા પૈસા ખોટા કામમાં પ્રયોગ થાય છે અને તેને પાછા માંગવાથી તમારા જીવને પણ જોખમ થઇ શકે છે. જો રૂપિયા પાછા ન માંગો તો તમે તેના ખોટા કામમાં અજાણતા સહભાગી બની શકો છો, જેનુ નુકસાન તમારે જ ભોગવવુ પડે છે.
આળસુ માણસોને ઉધાર પૈસા ના આપશો
મહામંત્રી વિદુર કહે છે કે જે વ્યક્તિ કોઈ કામ કરતા ન હોય, દર વખતે માત્ર આળસમાં જ રહેતા હોય. આવા લોકોને ભૂલથી પણ પૈસા ઉધાર ન આપવા જોઈએ. આવા લોકો જાતે કોઈ કામ કરતા નથી અને પરિવારના બીજા લોકો પર આશ્રિત રહે છે, તેથી તેવા લોકોમાં દેવુ ચૂકવવાની ક્ષમતા પણ ખૂબ ઓછી હોય છે. આવા આળસુ લોકો એક વખત જેની પાસેથી પૈસા ઉધાર લે છે, તેઓને ક્યારેય પૈસા પાછા આપતા નથી.