રાજ્ય છેવાડે આવેલ ધરમપુરમાં સવા 31 ફૂટ ઊંચું રુદ્રાક્ષ જડિત શિવલિંગ બનાવામાં આવ્યું છે. 31 લાખ રુદ્રાક્ષમાંથી બનાવાયેલ આ મહાશિવલિંગ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
શિવરાત્રીને હવે ગણતરીનાં દિવસો બાકી
જંગલ વિસ્તારમાં 31 ફૂટનું મહાશિવલિંગ બનાવવામા આવ્યું
અગાઉનો પોતાનો જ રેકોર્ડ તોડી 5મી વાર લિમ્કા બુકમાં સ્થાન મેળવ્યું
હિન્દૂ શાસ્ત્રમાં શિવલિંગની પૂજાનું અતિ મહત્વ છે. તો તેની સાથે સાથે રુદ્રાક્ષનું પણ એટલું જ મહત્વ છે. ત્યારે હવે મહાશિવરાત્રીના પૂજન માટે રાજ્યના અનેક શિવાલયોમાં રુદ્રાક્ષના શિવલિંગ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. રાજ્ય છેવાડે આવેલ ધરમપુરના જંગલ વિસ્તારમાં સવા 31 ફૂટ ઊંચું રુદ્રાક્ષ જડિત શિવલિંગ બનાવામાં આવ્યું છે. 31 લાખ રુદ્રાક્ષ માંથી બનાવાયેલ આ મહા શિવલિંગ શિવ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
શિવરાત્રીને હવે ગણતરીનાં દિવસો બાકી
હવે દેવાધિ દેવ એવા ભગવાન શિવના પૂજનની રાત્રિ એવી શિવરાત્રીને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે તે પહેલાં જ રાજ્યમાં આવેલા અનેક શિવમંદિરો ભક્તોની આસ્થા અને ઉમંગથી ધમધમવા લાગ્યા છે. આ જુઓ વિશાળ શિવલિંગ અને તેની આસપાસ આસ્થાના મહેરામણનો આકાશી નજારો વલસાડના ધરમપૂરના તીસ્કરી તલાટ ગામના એક શિવમંદિરનો છે. જંગલ વિસ્તારમાં આવેલા આ શિવાયલમાં 31 ફૂટનું મહાશિવલિંગ બનાવવામા આવ્યું છે.જેને 31 લાખ રુદ્રાક્ષથી એવું તો મઢવામા આવ્યું છે કે, દર્શન કરનાર ભક્તોની નજર આ શિવલિંગથી ખસવાનું નામ નહીં લે. આ લિંગના દર્શન કરતાં જ જાણે જીવનું શિવ સાથે તાદાત્મ્ય સંધાઈ જાય છે.
ભક્તો દૂધ, દહી, મધ જેવા પંચગવ્યનો અભિષેક કરે છે
આ શિવલિંગ પર જળાભિષેક માટે ભક્તોનો ભારે ધસારો રહે છે. તો કોઈ શક્તિ અને ભાવના મુજબ દૂધ, દહી, મધ જેવા પંચગવ્યનો પણ અભિષેક કરે છે. ભક્તોનું માનવુ છે કે શિવને એક લોટો જળનો અભિષેક જાણે 31 લાખ શિવને અર્પણ કર્યું હોય તેવું લાગે. કારણ કે ભક્તો દ્વારા આ શિવલિંગ 31 લાખ રુદ્રાક્ષથી મઢવામા આવ્યું છે. શિવ અને રુદ્રાક્ષ જુદા નથી, શિવલિંગ સાથે સાથે રુદ્રાક્ષનું મહત્વ આપણા આદિ-અનાદિ શાસ્ત્રોમાં ઉલ્લેખાયેલું છે.
અગાઉનો પોતાનો જ રેકોર્ડ તોડી 5મી વાર લિમ્કા બુકમાં સ્થાન મેળવ્યું
શિવ લિંગ બનાવવામાં 31 લાખ રુદ્રાક્ષનો ઉપયોગ થયો છે. 55 હજાર માનવ કલાકો ની અગાથ મહેનત બાદ આ વિશાળ શિવલિં નું નિર્માણ થયું છે. ધરમપુર ના ખારવેલ ના વતની એવા બટુક મહારાજ દ્વારા સવા 31 ફૂટ નું મહાશિવલિંગ બનાવાયુ છે. બટુક ભાઈએ અગાઉનો પોતાનો જ રેકોર્ડ તોડી 5મી વાર લિમ્કા બુકમાં સ્થાન મેળવ્યું છે. શિવલિંગની દરરોજ ભવ્ય પૂજા-અર્ચના થાય છે
ધરમપુરના રમણીય અને જંગલ વિસ્તારમાં આ રુદ્રાક્ષ શિવલિંગ હાલ શિવરાત્રી મહોત્સવ દરિમયાન દર્શન માટે ખૂલ્લું મુકવામાં આવ્યું છે. દરરોજ હજારો ભક્તો આ પવિત્ર અને ભવ્ય શિવલિંગના દર્શન-પૂજન અર્ચન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. શિવરાત્રી નિમિત્તે શિવ કથાનું આયોજન
કુદરતીસાનિધ્યમાં બનાવાયેલા આ મહાકાય રુદ્રાક્ષ શિવલિંગના દર્શાનર્થે મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. અહી શિવરાત્રી મહોત્સવ નિમિત્તે શિવ કથાનું પણ આયોજન કરેલું છે. ત્યારે શિવ સાથે જીવને એકાકાર કરવાની તક ભક્તો ગુમાવવા માગતા ન હોય તેવું લાગી રહ્યું છે.