શિકાગો: અમેરિકાના શિકાગોમાં આયોજિત વિશ્વ હિન્દુ કોંગ્રેસને સંબોધતા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ કહ્યું કે કેટલાક લોકો હિન્દુ શબ્દને અછૂત અને અસહનીય બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે હિન્દુ ધર્મના સાચા મૂલ્યોના સંરક્ષણની જરૂરિયાત પર ભાર દેવો જોઈએ.
True nationalism is preservation of this invaluable heritage. We should live the values we espouse & present the bouquet of ideas in correct perspective so that world has most authentic perspective. This will prevent distortions&erroneous perceptions gaining ground:Venkaiah Naidu pic.twitter.com/b6jtELNW1n
જેથી આવા વિચારો અને પ્રકૃતિઓને બદલી શકાય. જે ખોટી સૂચનાઓ પર આધારિત છે. મહત્વનું છે કે શિકાગોમાં સ્વામી વિવેકાનંદના 11 સપ્ટેમ્બર 1893માં આપેલા ચર્ચિત ભાષણના 125 વર્ષ પૂર્ણ થવા પર વિશ્વ હિન્દુ કોંગ્રેસનું આયોજન કરવામાં આવ્યું છે.
As Swami Vivekananda said in his inaugural speech at Chicago on Sept 11 1893 ours is a country that has “taught the world both tolerance & universal acceptance.” India believes not only in universal toleration but we accept all religions as true: VP Venkaiah Naidu at 2nd WHC pic.twitter.com/QEXOdqzpmC
શિકાગોમાં બીજી વિશ્વ હિંન્દુ કોંગ્રેસને સંબોધન કરતા ભારતના ઉપરાષ્ટ્રપતિ નાયડૂએ કહ્યું હતું કે ભારત સાર્વભૌમિક સહનશીલતામાં વિશ્વાસ કરે છે અને તમામ ધર્મોને સાચા માનવામાં આવે છે.
હિન્દુ ધર્મ સાથે જોડાયેલ ખાસ બાબતોને ટાંકતા તેમણે જણાવ્યું કે પારસ્પરિક શેર કરવું અને એકબીજાનો ખ્યાલ રાખવો હિંન્દુ દર્શનના મૂળ તત્વમાં છે. આ સાથે જ નાયડૂએ અફસોસ વ્યક્ત કર્યો કે હિન્દુ ધર્મના સંદર્ભમાં ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.
Vice President M Venkaiah Naidu attends the 2nd World Hindu Congress (WHC) in Chicago USA. He is on a two-day visit to the United States. pic.twitter.com/VMo8dEw2WU
આ સાથે જ ભારતના ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડૂએ કહ્યું કે કેટલાક લોકો હિન્દુ શબ્દને અછુત અને અસહનીય બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે વ્યક્તિએ પોતાના વિચારોને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં રજૂ કરવો જોઈએ જેથી વિશ્વની સામે પ્રમાણિક પરિપ્રેક્ષ્ય રજૂ થાય.