વાયુ વાવાઝોડાને લઇને સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યાં છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાયુ વાવાઝોડુ ગુજરાતને ટકરાશે નહીં, વાવાઝોડાની દિશા બદલાય છે. જો કે તેની અસર સોમનાથ, પોરબંદર, દ્વારકામાં જોવા મળી શકે છે. વાયુના ચક્રવાતના કારણે રાજ્યના કેટલાક ભાગમાં નહિવત વરસાદ થવાની સંભાવના છે.
વાયુ વાવાઝોડાને લઇને આજરોજ સવારે આવેલ સમાચાર મુજબ વેરાવળ દરિયા પર ત્રાટકયા અગાઉ ઓમાન તરફ ફંટાવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. સ્કાઇમેટ તેમજ અન્ય ખાનગી એજન્સીઓ દ્વારા મળતા અહેવાલ મુજબ ગુજરાતની નજીક આવતા પહેલા વાયુની દિશા બદલાઇ શકે છે.
જો કે આ અંગે હુજ ચોક્કસપણે કહી ના શકાય કે વાયુ વાવાઝોડુ વેરાવળના દરિયાકાંઠે ટકરાશે નહીં. એવુ અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે વેરાવળના દરિયાકાંઠે ટકરાતાં અગાઉ વાયુ વાવાઝોડુ ઓમાન તરફ ફંટાવવાની શક્યતા જોવા મળી છે. વાયુનું આંશિક દિશા પરિવર્તન થતા ગુજરાત માટે રાહતના સમાચાર જોવા મળી રહ્યાં છે.
વેરાવળથી 150 કિમી દૂર દરિયામાં વાયુએ દિશા બદલી હોવાની શક્યતાઓ જોવા મળી રહી છે. જો વાયુનો ખતરો આંશિક રીતે ટળ્યો છતાં ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે ભારે પવન સાથે વરસાદના કારણે દરિયા કિનારે નુકસાન થવાની ભિતી વ્યક્ત કરવામાં આવી છે. જો કે વાયુ વાવાઝોડુ રાજ્યના દરિયાકાંઠે ટકરાય તે અગાઉ દિશા બદલી રહ્યું હોવાની શક્યતાઓ વ્યકત કરાઇ રહી છે.
ગુજરાતમાં વાયુ વાવાઝોડુ ત્રાટકવાની શક્યતાના પગલે તંત્ર સાબદુ બન્યુ છે. ત્યારે વાવાઝોડાના પગલે 2 હજાર 251 જેટલા ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. ત્યારે વીજ પુરવઠો ખોરવાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વાત કરવામાં આવે છોટાઉદેપુરની તો અહીંના 258 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો.
જ્યારે દેવભૂમિ દ્વારકાના 129 ગામો, ગીર સોમનાથના 189 ગામો, જામનગરના 105 ગામો, જૂનાગઢના 118 ગામોમાં વીજપુરવઠો ખોરવાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો મહેસાણાના 240 ગામો, પાટણના 317 ગામોમાં પણ વીજપુરવઠો ખોરવાતા અને બીજી તરફ ધૂળની ડમરીઓ ઉડતા લોકોમાં પણ ભારે ભય જોવા મળ્યો હતો.