આપણે બધાને જીવનમાં સુખ અને સમૃદ્ધીની આશા રહે છે. જેના માટે બધાએ સખત પરિશ્રમ અને લગનપૂર્વક કામ કરવુ પડે છે. તેમ છતાં જે વસ્તુ આપણા જીવનને પ્રભાવિત કરે છે તે છે વાસ્તુ દોષ. જો અમુક વસ્તુને ઘરમાં વાસ્તુ શાસ્ત્રના નિયમો હેઠળ વ્યવસ્થિત ના કરવામાં આવે તો એક રીતે અશુભ માનવામાં આવે છે.
દરેક વ્યક્તિને જીવનમાં સુખ અને સમૃદ્ધીની આશા
ઘરમાં વાસ્તુ મુજબ રંગનો ઉપયોગ કરવો જરૂરી
વાસ્તુ દોષ જીવનમાં ઘણી મુશ્કેલીઓ લાવે છે
વાસ્તુ મુજબ ઘરમાં કલર હોવો ખૂબ જ જરૂરી
ખરેખર, વાસ્તુ મુજબ ચીજ વસ્તુમાં ફેરફાર કરવો ખૂબ સારું માનવામાં આવે છે. જોવામાં આવે તો વાસ્તુ દોષ જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ લઇને આવે છે, જે લાંબા સમય સુધી પરેશાન કરે છે. ઘરમાં ચીજ વસ્તુને ક્યા રાખવી છે તેના માટે વાસ્તુ શાસ્ત્ર મુજબ કેટલાંક મહત્વના નિયમ બનાવવામાં આવ્યાં છે. આપણે અહીં વાત કરી રહ્યાં છે ઘરના રૂમમાં કરવામાં આવતા રંગની. એવુ માનવામાં આવે છે કે જો તેને વાસ્તુ મુજબ ના કરવામાં આવે તો જીવનમાં આર્થિક નહીં શારીરીક પરેશાનીઓ પણ હેરાન કરે છે. ઘણી વખત લોકો રૂમમાં વાસ્તુ મુજબ કલર કરતા નથી અને તેના કારણે ઘરના સભ્યોના આરોગ્ય પર પણ ખરાબ અસર પડે છે. અમે તમને જણાવીએ છીએ કે ઘરના બેડરૂમ, કિચન અને અન્ય જગ્યાઓ પર કયા પ્રકારનો રંગ કરવો જોઈએ.
ઘરમાં કયા પ્રકારના રંગ હોવા જોઈએ
હૉલ
વાસ્તુ મુજબ ઘરની આ જગ્યા પર પીળઓ અથવા સફેદ રંગ કરવો સારો રહે છે.
બાથરૂમ
આ જગ્યા પર સફેદ અથવા ગુલાબી રંગ કરવામાં આવે તો આ વાસ્તુ મુજબ ખૂબ શુભ માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, કોઈ પણ ઘરની સુખ-સમૃદ્ધી અને આરોગ્ય માટે તેનુ વાસ્તુ યોગ્ય હોવુ અતિ જરૂરી છે.
ઘરનુ મંદિર
આ ઘરનુ સૌથી પવિત્ર સ્થાન હોય છે. તેથી અહીં એવા રંગ કરવામાં આવે, જે મનને શાંતિ આપે. તેથી ઘરના પૂજા ઘરમાં સફેદ અથવા પીળા રંગ કરવો જોઈએ.
રસોડુ
આમ તો રસોડામાં સફેદ રંગ ખૂબ શુભ માનવામાં આવે છે. પરંતુ તે જલ્દી ખરાબ પણ થઇ જાય છે. એવામાં તમે લાલ અને નારંગી કલર પણ કરાવી શકો છો.