અષ્ટમી તથા નવમીના દિવસે નાની કન્યાઓને મા દુર્ગાનું સ્વરુપ માની તેમને ભોજન કરાવો
નવરાત્રીના દિવસોમાં ઘરના મુખ્ય દ્વાર પર સ્વાસ્તિકનું ચિન્હ બનાવો
નવરાત્રી મા દેવીના નવ રુપોનું પૂજન કરવામાં આવે છે. નવરાત્રીના પહેલા દિવસે કળશની સ્થાપના કરીને માતા દુર્ગાની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના પહેલા દિવસે કળશની સ્થાપના કરવા માતા દુર્ગાની પૂજા કરવામાં આવે છે. આ દિવસોમાં ઘણી જગ્યાએ માતાના નામના મેળા પણ ભરાય છે. અનેક રાજ્યોમાં ગુડી પડવાના નામે પણ ઓળખાય છે. નવરાત્રીની અષ્ટમી તથા નવમીના દિવસે નાની કન્યાઓને મા દુર્ગાનું સ્વરુપ માની તેમને ભોજન કરાવવામાં આવે છે અને તેમનો આશીર્વાદ મેળવવામાં આવે છે. નવરાત્રીમાં વાસ્તુનું ધ્યાન રાખવુ ખૂબ જ જરુરી માનવામાં આવે છે. તો આવો જાણીએ કે વાસ્તુ અનુસાર માતાની મૂર્તિ કે ફોટો મંદિર કેવી રીતે તૈયાર કરવું...
1. મૂર્તિનું સ્થાપન
નવરાત્રીમાં માતાની મૂર્તિ કે કળશની સ્થાપના હંમેશા ઇશાન ખૂણા અથવા ઉત્તર-પૂર્વ દિશામાં જ કરવી જોઇએ. આ દિશામાં દેવતાઓનો વાસ હોય છે. ત્યાં અંખડ દીવાનું સ્થાપન અગ્નિ ખૂણામાં કરવુ જોઇએ. માતાની મૂર્તિને ઇશાન ખૂણામાં સ્થાપિત કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, અને ઘરમાં માતાજીનો વાસ થાય છે.
2. મુખ્ય દ્વાર
નવરાત્રીના દિવસોમાં ઘરના મુખ્ય દ્વાર પર સ્વાસ્તિકનું ચિન્હ બનાવો, તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે તે સાથે જ ઘરના મુખ્ય દ્વારને આંબાના પાનના તોરણથી સજાવો. તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે.
3. ચંદનની ચોકી
માતાની મૂર્તિને લાકડાના બાજોટ પર સ્થાપિત કરતા પહેલા તેની પર ચંદનની ચોકી કરવાથી શુભ રહેશે. વાસ્તુશાસ્ત્રમાં ચંદન શુભ અને સકારાત્મક ઉર્જાને કેન્દ્ર માનવામાં આવે છે, તેનાથી વાસ્તુદોષનુ સમાપન થાય છે.
4. કાળો રંગ
માનવામાં આવે છે કે, કોઇ પણ શુભ કાર્ય કરતી વખતે કાળા રંગનો ઉપયોગ આપણે ના કરવો જોઇએ. નવરાત્રીની પૂજા પાઠમાં કાળા રંગનો ઉપયોગ ના કરવો જોઇએ. માન્યતા છે કે કાળો રંગ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે, સાથે જ કાળા રંગથી દરેક સમયે મન વિચલિત રહ્યાં કરે છે.
5. આ રંગોનો પ્રયોગ ખાસ કરો
નવરાત્રીમાં પીળો અને લાલ રંગનો ઉપયોગ કરવો જોઇએ. માનવામાં આવે છે કે, પીળો રંગ જીવનમાં ઉત્સાહ, ચમક અને પ્રસન્નતા લાવે છે અને લાલ રંગ જીવનમાં ઉંમગ લાવે છે. માતાને પણ આ રંગોથી સજાવવામાં આવે છે. વાસ્તુ અનુસાર, આ રંગોનો ઉપયોગ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.
6. કપૂરની આરતી
નવરાત્રીમાં સાંજ થવા પર કપૂર પ્રગટાવીને દેવી માની આરતી જરુરથી કરવી, તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા નષ્ટ થઇ જાય છે અને ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે.
7. લીબુંનું સેવન ટાળો
નવરાત્રી દરમિયાન લીંબુનો પ્રયોગ કરવાનું ટાળો. નવરાત્રી દરમિયાન ઘરમાં ખાટી વસ્તુઓનો પ્રયોગ કરવાથી બચવુ જોઇએ. તેનાથી ઘરમા નકારાત્મક ઉર્જા આવે છે અને મન અશાંત રહે છે.
8. છાણનો પ્રયોગ
નવરાત્રી દરમિયાન ઘરનાં આંગણમાં છાણથી લીપવુ જોઇએ. જો એવુ નથી કરી શકતા તો ઘરના આંગણમાં છાણ લગાવી શકો છો, આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે અને દેવી લક્ષ્મીનો ઘરમાં વાસ થશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.