જામાં સુગંધિત અગરબતીનો ઉપયોગ કરે છે પણ પહેલાના જમાનામાં લોકો કપૂરનો ઉપયોગ કરતા. કપૂર મનને શાંત રાખવામાં ઘણું મદદ કરે છે. તમે તેનો એર ફ્રેશનર તરીકે ઉપયોગ બીજી રીતે પણ કરી શકો છો.
થોડા જ સમયની અંદર આ પરફ્યુમ અને એર ફ્રેશનરની સુગંધ હવામાં ઉડી જાય છે
કપૂર સળગાવીને ઘરમાં રાખશો તો સામાન્ય બીમારી અને કીડા-મકોડાથી છુટકારો મેળવી શકો છો
સાફ કાચના વાસણમાં પાણી ભરીને તેમાં ગુલાબની પાંખડીઓ નાખીને આ જગ્યા પર રાખો
દરેક લોકો ઈચ્છે છે કે તેમના ઘરનું વાતારવણ સારું અને સુગંધિત બન્યું રહે. આ સાથે જ આખા ઘરમાં એક પોઝીટીવ એનર્જી બની રહે. એટલા માટે જ લોકો આજકાલ બજારમાં વંહેચાતા પરફ્યુમ અને એર ફ્રેશનર ખરીદે છે. પણ તમે જોયું હશે કે થોડા જ સમયની અંદર આ પરફ્યુમ અને એર ફ્રેશનરની સુગંધ હવામાં ઉડી જાય છે અને થોડા સમય પછી ફરી એ જ પરફ્યુમ અને એર ફ્રેશનરનો છંટકાવ કરવો પડે છે.આના કરતા ઘરના વાતાવરણને આખો દિવસ સારું અને સુગંધિત રાખવા બીજા ઘણા ઉપાયો છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
દરેકના ઘરમાં દરરોજ વહેલી સવારે ભગવાનની પૂજા થતી જ હોય છે. હાલ લોકો પૂજામાં સુગંધિત અગરબતીનો ઉપયોગ કરે છે પણ પહેલાના જમાનામાં લોકો કપૂરનો ઉપયોગ કરતા. કપૂર સળગાવવાને કરને ઘરમાં બીમારીઓ ઓછી આવે છે એ અપના બધા જાણીએ છીએ. પણ આ સાથે જ કપૂરના બીજા ઘણા ઉપયોગો છે જે આજે અમે તમને જણાવશું. વરસાદની ઋતુ શરુ થઇ ગઈ છે એવામાં બીમારી પણ ઘણી ફેલાઈ છે અને કીડા-મકોડાનો ત્રાસ પણ ઘણો વધતો જાય છે. આવામાં જો તમે કપૂર સળગાવીને ઘરમાં રાખશો તો સામાન્ય બીમારી અને કીડા-મકોડાથી છુટકારો મેળવી શકો છો અને કપૂરની સુગંધથી ઘરમાં સારું વાતાવરણ પણ બની રહે છે.
જો તમને ફક્ત કપૂરની સુગંધ પસંદ નથી તો તમે બજારમાંથી લાવેલ એર ફ્રેશનરમાં પણ કપૂર ભેળવી અને ઘરમાં છાંટી શકો છો. આ સિવાય તમે કપૂરનું એર ફ્રેશનર ઘરે પણ બનાવી શકો છો.કપૂર પીસીને તેનો પાઉડર બનાવીને તેમાં બે ચમચી લેવંડર ઓઈલ ભેળવીને એક સ્પ્રે બોટલમાં ભરીને સાચવી શકો છો. આવું કરવાથી ઘરનું વાતાવરણ ઘણું સારું બની રેહશે.
આ સાથે જ કપૂર મનને શાંત રાખવામાં ઘણું મદદ કરે છે. તમે તેનો એર ફ્રેશનર તરીકે ઉપયોગ બીજી રીતે પણ કરી શકો છો. એક વાસણમાં તમે કપૂર રાખો અને તેને એમ જ એક ખૂણામાં રાખી દો. આ એક ઘણા સારા રૂમ ફ્રેશનર તરીકે કામ કરે છે અને મન શાંત રાખે છે.
તમે કપૂર પસંદ ન હોય અને તમે બીજી રીતે ઘરને સુગંધિત રાખવા માંગો છો તો અમે તમને બીજો ઉપાય પણ જણાવવા જઈ રહ્યા છીએ. એ રીત છે સુગંધિત અને તાજા ગુલાબના ફૂલની. જો તમને ગુલાબના ફૂલની સુગંધ પસંદ હોય તો તમે દરરોજ સવારે ઉઠીને એક સાફ કાચના વાસણમાં પાણી ભરીને તેમાં ગુલાબની પાંખડીઓ નાખીને એ વાસણને એવી જગ્યા પર રાખો કે જ્યાંથી તાજી હવા આવતી હોય. એ હવાને કારણે એ ગુલાબની પાંખડીઓની સુગંધ આખા ઘરમાં ફેલાઈ જશે અને આખા દિવસ માટે ઘર ગુલાબની સુગંધથી મહેકી ઉઠશે.