પૂર્વ CM વિજય રૂપાણી અને વજુભાઇ વાળા વચ્ચે થયેલી સીક્રેટ વાતચીતનો વીડિયો વાયરલ થયો છે, જવાબદારી વિશે વાત કરી રહ્યા છે.
પૂર્વ CM વિજય રૂપાણી અને વજુભાઇ વાળા વચ્ચે વાતચીત
જવાબદારી આપે તો ઠીક, ન આપે તો વાંધો નહીં - વજુભાઈ વાળા
કોની અને કઇ જવાબદારી છે તે વિશે ફોડ નહીં
સંવેદનશીલ ગુજરાત સરકાર પર ભર ભાદરવે આફત આવી. અને મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીને રાજીનામું આપી દેવું પડ્યું.અને પાટીદાર ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવાયા. નો રિપીટ થિયરીને આધીન મંત્રી મંડળ પણ બનાવી દીધું. ત્યારે ગુજરાત ભરના લોકોમાં એક વિષય મોટી રીતે ચર્ચાઇ રહ્યો છે અને તે છે સિનિયર નેતા શું કરશે? પૂર્વે મુખ્યમંત્રી હાલ રાજકોટના આગામી ફિક્સ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગમાં ભાગ લઈ રહ્યા છે તેમણે ભાજપના સિનિયર નેતા અને કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઈ સાથે સ્ટેજ શેર કર્યું હતું, આ વખતે બંને નેતાઓ જવાબદારીને લઈ ગુસપુસ કરી રહ્યા હતા. તે સમયે કોઈએ વીડિયો ઉતારી લઈ વાયરલ કર્યો હતો. આ વાતચીતમાં વજુભાઈ વાળા અને વિજય રૂપાણી બંને જવાબદારીને લઈ વાત કરી રહ્યા હતા.
જવાબદારી આપે તો ઠીક, ન આપે તો વાંધો નહીં - વજુભાઈ વાળા
ભાજપ હાઈકમાન્ડના આદેશથી સરકારના સિનિયર નેતાઓની છુટ્ટી કરી દેવાઈ છે. પણ હજુ કોઈ નેતાની કોઈ જ જવાબદારી સોંપવામાં આવી નથી. અને કોઈ અંદેશો પણ આપવામાં આવ્યો નથી આવામાં રાજકોટના એક કાર્યક્રમ દરમિયાન ઈ કરીને તકીયા કલામથી જાણીતા વજુભાઈ વાળા અને પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ વચ્ચે ભવિષ્યમાં મળવાનારી જવાબદારીને લઈ ચર્ચા થઈ રહી હતી તે દરમિયાન વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમાં વજુભાઈ વિજયભાઇને પૂછી રહ્યા છે અને સલાહ આપી રહ્યા છે કે જવાબદારી આપે તો ઠીક, ન આપે તો વાંધો નહીં, આપણે કામ કરતા રહેવાનું સામે તરફથી વિજય રૂપાણી જવાબ આપી રહ્યા છે કે હા.. બરોબર છે.' ઇ તો એમ જ હોય, સમગ્ર વાતચીતમાં કોની અને કઇ જવાબદારી છે તે વિશે કોઈ ફોડ પાડ્યો નથી. પણ એક વાત નક્કી છે રૂપાણીને જ્યારે પણ પાર્ટી જવાબદારી સોંપશે તે સંગઠનમાં હશે.
વિજય રૂપાણીને કઈ જવાબદારી સોંપાશે?
વિજય રૂપાણીને રાતોરાત રાજીનામું અપાવી દેતાં તેમને દુઃખ જરૂર થયું છે.પરંતુ તેઓ હંમેશા સત્તામાં રહીને પણ સત્તાથી પર રહ્યા છે. વિજય રૂપાણી ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી જેવાં સર્વોચ્ચ પદે રહી ચૂક્યા છે. નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા મારફતે પણ તેમની સેવા અને આવડતનો લાભ લેવાતો રહેશે તેવી જાહેરાત કરી દીધી છે. મુખ્યમંત્રી પદ જવાનો રંજ તેમને ચોક્કસ હશે, પરંતુ નારાજગી નથી. તેથી તેમણે મળવા આવેલાં તમામ મંત્રીઓને કહ્યું કે તેઓ આ કિસ્સામાં કોઇ દરમિયાનગીરી કરશે નહીં. હવે પાર્ટી તેમને જે કામ અથવા પદ સોંપે તે તેઓ સહર્ષ સ્વીકારી લેશે. વિજય રૂપાણી પહેલાથી જ રાજીનામું આપતી વખતે કહી ચૂક્યા છે કે તે સંગઠનમાં કામ કરવાની ઈચ્છા ધરાવે છે. પણ હજુ સુધી વિજય રૂપાણીને કઈ જવાબદારી ભાજપ સંગઠનમાં સોંપાશે તેનો કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી આમ નો રિપીટ થિયરી બાદ અનેક એવા સિનિયરો છે જે ઘરે સમય પસાર કરી રહ્યા છે અને ભાજપના મોવડી મંડળના આદેશની રાહ જોઈ રહ્યા છે કે હમણાં તેમણે જવાબદારી સોંપાશે.