વડોદરાની SSG હોસ્પિટલને વારંવાર નોટીસ આપવા છતા હોસ્પિટલની 'હોતી હૈ ચલતી હે' ની નીતિમાં જરાય ફેરફાર નથી આવી રહ્યો. આ હોસ્પિટલને અગાઉ 3 વાર નોટીસ ફટકારવામાં આવી હોવા છતાંય તપાસમાં મચ્છરના બ્રિડિંગ મળી આવ્યા હતા. અહીં દર્દીઓ સારવાર માટે આવે છે કે માંદા પડવા? એ જ સૌથી મોટો પ્રશ્ન છે.
SSG હોસ્પિટલમાંથી મળ્યા મચ્છરના બ્રિંડિંગ
3 વાર નોટિસ છતા હોસ્પિટલ દ્વારા કોઇ કાર્યવાહી નહીં
હોસ્પિટલમાંથી 7 સ્થળેથી મળ્યા બ્રિંડિંગ
સર સયાજી રાવ જનરલ હોસ્પિટલ મધ્યગુજરાતની મોટી હોસ્પિટલ ગણાય છે ત્યારે અહિં હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે પરંતુ મનપાના વારંવાર ટોકવા છતાંય આ હોસ્પિટલ સાફસફાઈ અંગે કંઈ પગલા નથી લઈ રહી. અગાઉ 3 વખત મનપા દ્વારા SSGને નોટીસ ફટકારવામાં આવી હોવા છતાંય ફરીથી મનપાની તપાસમાં હોસ્પિટલમાંથી જ મચ્છરના બ્રિંડિંગ મળી આવ્યા હતા.
હોસ્પિટલમાં જુદી જુદી 7 જગ્યાએથી મચ્છર મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. એવા આક્ષેપો થઈ રહ્યા હતા કે સરકારી તંત્ર કેમ હંમેશા આવુ બેદરકાર હોય છે? આ હોસ્પિટલમાં આસપાસમાંથી હજારો દર્ધીઓ રોજે રોજ સારવાર માટે આવે છે ત્યારે તેઓ ઉપરથી અહીંતી રોગચાળો લઈને ઘરે જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. અગાઉ પણ અપાયેલી નોટીસમાંથી કોઈ ધડો લેવાયો નથી અને કોઈ કાર્યવાહી પણ કરવામાં આવી નથી. ત્યારે મનપાએ આ વખતે SSG સામે લાલ આંખ કરી હતી અને કડક શબ્દોમાં આ અંગે જવાબ પાઠવવાની પણ માંગ કરી હતી.