ગુજરાતમાં હાલ કોરોના વાયરસ બેકાબુ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં સતત કોરોના સંક્રમિતોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે.ત્યારે હાલમાં રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફર્યું લગાવામાં આવ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં સાંસદ અને વેપારી વિકાસ એસોસિએશન વચ્ચે યોજાયેલી બેઠક બાદ આજથી શહેરમાં તમામ બજારો ફરી ખુલશે.
આજથી વડોદરામાં તમામ બજારો ફરી ખુલશે
નવા બજાર, કડક બજાર અને મંગળ બજાર ફરી ખુલશે
ગોરવા અને તરસાલી માર્કેટ પણ ખુલશે
પ્રાપ્ત મળતી વિગત અનુસાર વડોદરા શહેરમાં હાલ કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા હાલ ચાર મહાનગરોમાં લગાવામાં આવેલ કર્ફ્યુંમાં વડોદરાનો પણ સમાવેશ થાય છે.
ત્યારે હાલમાં શહેરના સાંસદ અને વેપારી વિકાસ એસોસિયેશન વચ્ચે યોજાયેલી બેઠક બાદ આજથી વડોદરામાં તમામ બજારો ફરી ખુલી જશે. જેમાં નવા બજાર, કડક બજાર અને મંગળ બજાર સાથે ગોરવા અને તરસાલી માર્કેટ પણ ખુલશે. જો કે કોરોનાકાળ દરમિયાન ખુલી રહેલા આ માર્કેટમાં કોવિડ ગાઇડલાઇનનું ફરજીયાત પાલન કરવાનું રહેશે.
વડોદરા શહેરના સાંસદ રંજનબેન ભટ્ટે અને વેપારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. બેઠકમાં નિયમોના પાલન સાથે બજાર ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. જેમાં વેપારીઓએ કોરોનાગાઇડલાઇનના પાલનની ખાતરી આપી હતી.
જેને લઇને વેપાર વિકાસ એસોસિયેશન દ્વારા આજથી શહેરમાં તમામ બજારો ખોલવા અંગેની જાહેરાત કરવામાં આવી છે. જો બજાર ખોલવા મુદ્દે સાંસદ રંજનબેન ભટ્ટે OSD વિનોદ રાવ સાથે પણ વાત કરી.