રાજ્યમાં કોરનાના વધતા કેસ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની પત્રકાર પરિષદ પછી વેક્સિનેશન સેન્ટર રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.
રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો
વેક્સિનેશન સેન્ટ્ર રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રહેશે
4 મનપા ક્ષેત્રમાં વરિષ્ઠ સચિવોને જવાબદારી સોંપાઈ
રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વેક્સિનેશન સેન્ટર રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. ઉલ્લેખીય છે કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની પત્રકાર પરિષદ કરી હતી. જેમાં ગુજરાતના ચાલતા વેક્સિનેશનને લઇને ચોંકાવનારી વિગત જાહેર કરી હતી. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં પણ વેક્સિનનો ઉપયોગ થઈ રહ્યો નથી.
ગુજરાતમાં પણ વેક્સિન વેડફાઇ રહી હોવાની આરોગ્ય વિભાગે જાણકારી આપી છે. ગુજરાતમાં 5.3% વેક્સિનન વેડફાઇ રહી છે. તો તેલગાંણામાં સૌથી વધુ 17% વેક્સિન વેડફાઇ રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આંકડા જાહેર કર્યા છે.
ગાંધીનગરથી આદેશ બાદ અધિકારીઓ થયા દોડતા
તો આ સાથે મનપા ક્ષેત્રમાં 5 વરિષ્ઠ સચિવોને જવાબદારી સોંપાઈ છે. જેમાં અમદાવાદની જવાબદારી ડો.રાજીવ ગુપ્તાને સોંપાઈ છે. મિલિંદ તોરવણે, વિનેદ રાવને વડોદરાની જવાબદારી આપવામાં આવી છે. આ સાથે રાહુલ ગુપ્તાને રાજકોટની જવાબદારી સોંપાઈ છે. અને સુરતની જવાબદારી એન.થેન્નારસનને સોંપવામાં આવી છે. જે સચિવોને કામગીરી આપવામાં આવી તેમના દ્વારા સ્થાનિક તંત્રને માર્ગદર્શન અપાશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેક્સિનેસને લઈને વ્યક્ત કરી નારાજગી
નીતિ આયોગના સભ્ય ડો.વી.કે પાલે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તમામ મુખ્યમંત્રીઓ સાથેની બેઠક દરમિયાન કહ્યું હતું કે, ટીયર 2 અને 3 શહેરોમાં ટેસ્ટ, હોસ્પિટલમાં દેખભાળ સુવિધાઓને મજબૂત કરવાની આવશ્યકતા છે. આજનો સૌથી મહત્વનો વિકાસ એ છે કે, પ્રધાનમંત્રીએ રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોની સાથે કોરોનાના વધતા કેસ અને રસીકરણ પર વિસ્તૃત ચર્ચા કરી.પ્રધાનમંત્રીએ વેક્સિનના વેડફાડ અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, આ એક કિંમતી વસ્તુ છે.