ભારતીય રીઝર્વ બેંકના પૂર્વ ગર્વનર ઉર્જિત પટેલને નવી જવાબદારી સોંપવામાં આવી છે. ખરેખર, ઉર્જિત પટેલની નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ પબ્લિક ફાઇનાન્સ એન્ડ પૉલિસી (NIPFP) ના ચેરમેન તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ઉર્જિત પટેલ પહેલા આ પદ પર વિજય કેલકર હતા. કેલકરે 2014માં પદ સંભાળ્યું હતું. આમ હાલમાં ઉર્જિત પટેલ 22 જૂનથી NIPFP નું ચેરમેન પદ સંભાળશે.
ઉર્જિત પટેલે RBIના ગર્વનર પદેથી આપ્યું હતું રાજીનામું
RBIમાં 3 વર્ષનો કાર્યકાળ સપ્ટેમ્બર, 2019માં પુરો થવાનો હતો
આ જાણકારી આફતાં NIPFPના નિવેદનમાં જણાવામાં આવ્યું છેકે અમને આ વાતનો આનંદ છે કે રિઝર્વ બેંકના પૂર્વ ગર્વનર ઉર્જિત પટેલ 22 જુન, 2020થી ચાર વર્ષ માટે આ સંસ્થાના ચેરમેન તરીકે અમારી સાથે જોડાશે.
ઉલ્લેખનીય છે કે NIPFPનો મુખ્ય હેતુ સાર્વજનિક અર્થશાસ્ત્ર સંબંધિત ક્ષેત્રોમાં નીતિ નિર્માણમાં યોગદાન આપવાનો છે. આ સંસ્થા નાણા મંત્રાલય, ભારત સરકાર સિવાય અને અલગ-અલગ રાજ્ય સરકારો પાસેથી વાર્ષિક રકમની સહાયતા મળે છે.
ઉર્જિત પટેલે આપ્યું હતું રાજીનામું
2018ના ડિસેમ્બર મહીનામાં ઉર્જિત પટેલે RBIના ગર્વનર પદનો કાર્યકાળ પુરો થવા પહેલા રાજીનામું આપ્યું હતું. ઉર્જિત પટેલે પોતાનું રાજીનામું કેન્દ્રીય બેંક બોર્ડની મહત્વપૂર્ણ બેઠક પહેલા આપ્યું હતું. આ બેઠકમાં સરકાર સાથેના મતભેદોને દૂર કરવાને લઇને વાતચીત થવાની હતી.