ઉન્નાવ રેપ કેસની પીડિતાને આજે જ લખનઉથી દિલ્હીના એમ્સમાં એરલિફ્ટ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે સોમવારે આદેશ આપ્યો કે પીડિતાને એર એમ્બુલન્સથી એરલિફ્ટ કરી તાત્કાલિક દિલ્હીની એમ્સમાં ભરતી કરવામાં આવે. સાથે જ જરૂર પડે છે તો વકીલને પણ શિફ્ટ કરવામાં આવે.
બીજી તરફ પીડિતાના વકીલે પરિવાર તરફથી અપીલ કરતા કહ્યું હતું કે તે પુત્રીને સંભાળે કે કેસ લડે? સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઉન્નાવ રેપ કેસની પીડિતાથી જોડાયેલા એક્સીડેન્ટ મામલે લખનઉની એક કોર્ટથી દિલ્હી ખસેડવાનો પોતાનો આદેશ સ્થગિત કરી દીધો હતો અને કહ્યું હતું કે પીડિતાના પરિવારજનોને એ વાતની છૂટ છે કે જ્યારે યોગ્ય લાગે તેને દિલ્હીની એમ્સમાં સ્થાનાંતરિત કરવામાં આવશે.
જ્યારે એક્સીડેન્ટ મામલામાં સીબીઆઇએ આરોપીઓેને પૂછપરછ માટે બોલાવ્યા. પીડિતાની સુરક્ષામાં તૈનાત 15 પોલીસકર્મીઓ પણ લખનઉ સીબીઆઇ મુખ્યાલય બોલાવવામાં આવ્યા.
ઉન્નાવ દુષ્કર્મ કાંડ પીડિતા અને તેના વકીલની હાલત ગંભીર પરંતુ સ્થિર છે. કેજીએમયૂએ પીડિતા અને તેના વકીલની વર્તમાન સ્વાસ્થ્ય સ્થિતિ પર બુલેટિન જાહેર કર્યું છે. બુલેટિન અનુસાર, પીડિતાની હાલતમાં થોડો સુધાર થયો છે. જ્યારે વકીલ વિના વેન્ટિલેટર શ્વાસ લઇ શકે છે.
રાયબરેલીમાં થયેલ એક એક્સિડેન્ટ બાદ બંનેનો ઇલાજ કેજીએમયૂના ટ્રોમા સેન્ટરમાં ચાલુ છે. જ્યારે એક્સિડેન્ટમાં બે મહિલાઓના મોત થઇ ચૂક્યા છે.