અમદાવાદમાં 2 જુલાઇ યોજાવનારી GTUની પરીક્ષાને લઇને વિધાર્થીઓ ચિંતિતિ છે. કોરોનાના વધતા જતાં સંક્રમણને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ પરીક્ષા રદ્દ કરવા માંગણી કરી રહ્યાં છે. વિદ્યાર્થીઓને સોશ્યલ મીડિયા પર પણ પરીક્ષાના આયોજન સામે જંગ છેડ્યો છે. કોરોનાના સંકટ વચ્ચે યોજનાર પરીક્ષા રદ્દ કરવા માટે સતત માંગણી કરી રહ્યાં છે. તો આ મુદ્દે NSUI દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે. તો વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે, ઓનલાઇન પરીક્ષા આપવા માટેની જરૂરિયાતો અઘરી છે. તમામ વિદ્યાર્થીઓ નહીં આપી શકે ઓનલાઇન પરીક્ષા. તો GTU દ્વારા આવ્યું મોટું નિવેદન.
વિદ્યાર્થીઓ દ્વારા GTUની પરીક્ષાનો વિરોધ
સોશિયલ મીડિયામા વિધાર્થીઓએ છેડ્યો જંગ
2 જુલાઇએ પરીક્ષા રદ્દ કરવા કરી માંગ
કોરોનાની મહામારીમાં 2 જુલાઈથી GTU(ગુજરાત ટેક્નિકલ યૂનિવર્સિટી)ની પરીક્ષા ચાલુ થઈ રહી છે. જેને લઇને ફરી એક વખત GTUના વિદ્યાર્થીઓએ સોશ્યલ મીડિયામાં જંગ છેડ્યો છે. 2 જુલાઈએ થઈ રહેલી પરીક્ષા રદ્દ કરવાની માંગ કરી છે. વિદ્યાર્થીઓનું કહેવુ છે કે GTU દ્વારા પરીક્ષા પસંદગીના ત્રણ ઓપ્શન માત્ર દેખાવ પુરતા આપ્યા હતા પરંતુ GTUએ ભાર તો 2 જુલાઈએ શરુ થનારી પરીક્ષા પર મુક્યો હતો. વિદ્યાર્થીઓ ક્લાસ રૂમમાં જઈને પરીક્ષા આપે તેવો પ્રયાસ કરાયો હતો જેને લઈને 55 હજાર વિદ્યાર્થીઓએ મજબુરીમાં પરીક્ષાની તૈયારી દર્શાવી છે. જોકે કેટલાક વિદ્યાર્થીઓ આના વિરોધમાં ઉતર્યા છે. તો GTU દ્વારા કહેવાયું કે પરીક્ષા 2 જુલાઈએ જ લેવાશે.
2 જુલાઈએ રાબેતા મુજબ GTU ની પરીક્ષા લેવાશે: VC
GTUના વાઇસ ચાન્સલર નવિન શેઠે પરિક્ષાને નિવેદન કર્યુ છે. તેમણે જણાવ્યુ છે કે 2 જુલાઈથી રાબેતા મુજબ GTUની પરીક્ષા લેવામાં આવશે. આજે બધા વિદ્યાર્થીઓને હોલ ટીકીટ અપાઈ ગઈ છે. 2 જુલાઈ માટે જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. વિદ્યાર્થીઓની જે તે નક્કી કરેલા સેન્ટરે પરીક્ષા થશે. સોશિયલ મીડીયામાં પરીક્ષા રદ્દના તમામ મેસેજ ખોટા ફરે છે. પરીક્ષા 2 જુલાઈએ જ લેવામાં આવશે.
પરીક્ષામાં કોઇને ચેપ લાગે તો જવાબદારી કોની?: વિદ્યાર્થીઓ
2 જુલાઇથી શરૂ થઇ રહી છે GTUની અંતિમ સેમ.ની પરીક્ષાને લઇને વિદ્યાર્થીઓએ કહ્યું છે કે, ઓનલાઇન પરીક્ષા માટેની જરૂરિયાતો અઘરી છે. તમામ વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા નહીં આપી શકે. ઓનલાઇન પરીક્ષા માટે હાઇ સ્પીડ ઇન્ટરનેટ જરૂરી છે. પરીક્ષામાં કોઇને ચેપ લાગે તો જવાબદારી કોની? GTUએ વિદ્યાર્થીઓની સેફ્ટી અંગે કોઇ નિવેદન નથી આપ્યુ. અન્ય રાજ્યોએ પરીક્ષા મોકૂફ રાખી છે તો GTU કેમ નહીં? મહારાષ્ટ્ર, ઓડિશા, મધ્યપ્રદેશ, હરિયાણામાં મેરિટ બેઇઝ પ્રમોશનની જાહેરાત કરી છે. પંજાબમાં પણ ફાઇનલ સેમની પરીક્ષા 15 જુલાઇ સુધી મોકૂફ રખાઇ છે. ઓનલાઇન હેલ્પ સેન્ટરમાં પણ યોગ્ય જવાબ ન મળવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કર્ણાટકમાં પણ 2 વિષયની પરીક્ષા લેવાયા બાદ મોકૂફ રખાઇ છે. કર્ણાટકમાં પરીક્ષા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ સંક્રમિત થયા હતા. રાજ્યોની IITમાં પણ મોકૂફ પરીક્ષાઓ રખાઇ છે.
GTUએ વિદ્યાર્થીઓને ત્રણ ઓપ્શન આપ્યા હતા
એનએસયુઆઈ દ્વારા થયેલા વિરોધ બાદ જીટીયુએ વિદ્યાર્થીઓને ત્રણ ઓપ્શન આપ્યા હતા જેમાં એક ઓપ્શન 2 જુલાઈએ પોતાના જીલ્લામાં ફાળવેલા સેન્ટર પર જઈને પરીક્ષા આપવી, બીજુ ઓપ્શન ઓનલાઈન પરીક્ષા આપવી અને ત્રીજુ ઓપ્શન આપ્યુ હતુ કે પરિસ્થિતિ સારી થશે એટસે પરીક્ષા લેવાશે. આના રજિસ્ટ્રેશન માટે જીટીયુએ એક પછી એક ઓપ્શન ખોલ્યા હતા અને ઓનલાઈન પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ માટે અઘરા નિયમો રાખ્યા હતા કે વિદ્યાર્થીઓએ મજબુર થઈને સેન્ટર પર જઈ પરિક્ષા આપવા મજબુર થવુ પડશે.
અત્યારે સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે તેવા સંજોગોમાં તમામ યુનિવર્સિટીઓ પરીક્ષા રદ્દ કરી રહી છે પરંતુ જીટીયુ પોતાની માંગ પર અડગ થઈને વિદ્યાર્થીઓને દબાણવશ કરી પરીક્ષા લેવાનું વિચારી રહી છે અને લાખો કોરોનાના કેસો વચ્ચે 2 જુલાઈથી પરીક્ષા શરુ કરશે. પરંતુ સવાલ થાય છે કે શું જીટીયુ વિદ્યાર્થીઓના અગાઉના સેમેસ્ટરના આધારે માર્કસનુ મુલ્યાંકન કરી માર્કસ ન મુકી શકે. જીટીયુ અન્ય યુનિવર્સિટીની પરીક્ષા પેર્ટન અપનાવી પરીક્ષા ન લઈ શકે.