અમેરિકાએ પોતાની વિમાન કંપનીઓ માટે એડવાઇઝરી જાહેર કરી છે. અમેરિકાએ કંપનીઓને પાકિસ્તાનના એરસ્પેસનો ઉપયોગ કરવાથી બચવા માટે કહ્યું છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનમાં અમેરિકી વિમાનો પર આતંકવાદી હુમલો થઇ શકે છે.
અમેરિકાએ પોતાની વિમાન કંપનીઓ માટે એડવાઇઝરી જાહેર કરી
પાકિસ્તાનના એરસ્પેસ ન ઉપયોગ ન કરવાની સલાહ આપી
યૂએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ)એ એક નિવેદનમાં કહ્યું કે વિમાન પાકિસ્તાની આતંકવાદી સંગઠનોનું નિશાન બની શકે છે. આ એડવાઇઝરી ત્યારે જાહેર કરવામાં આવી છે જ્યારે બે દિવસ પહેલા ઇરાકની રાજધાની બગદાદમાં અમેરિકી દૂતાવાસ પર કેટલાક પ્રદર્શનકારીઓએ હુમલો કરી દીધો હતો.
શું કહેવામાં આવ્યું છે એડવાઇઝરીમાં?
એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદી સંગઠન અને કટ્ટરપંથીઓ તરફથી અમેરિકના વિમાનોને ખતરો થઇ શકે છે. એવા વિમાનોને ખતરો હોઇ શકે છે જે વધુ નીચે ઉડી રહ્યા છે. પાકિસ્તાનમાં કેટલાક આતંકવાદી સંગઠનો પર શંકા છે કે તેમની પહોંચ મૈન પોર્ટેબલ એર ડિફેન્સ સિટસ્ટ સુધી થઇ ગઇ છે. સંભવ છે કે પાકિસ્તાનમાં સિવિલ એવિએશન પર પણ આના દ્વારા હુમલો થઇ શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને જવાબદાર ગણાવ્યું હતું
બગદાદમાં દૂતાવાસ પર હુમલા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને જવાબદાર ગણાવ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઇરાકમાં અમેરિકી દૂતાવાસ પર ઇરાન હુમલો કરાવી રહ્યું છે.
આ પહેલા અમેરિકાએ એક હવાઈ હુમલામાં ઇરાન સમર્થિત એક જૂથ પર હુમલો કર્યો હતો, જેમાં 25ના મોત થયા હતા. અમેરિકાનો આરોપ હતો કે આ જૂથનો અમેરિકી ઠેકેદારોના મોત પાછળ હાથ હતો. આના વિરોધમાં ઇરાકના બગદાદમાં ઇરાની સમર્થક અમેરિકા વિરૂદ્ધ હલ્લાબોલ કર્યો હતો.