કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે દેશના વૈજ્ઞાનિકો, ડૉક્ટર્સ અને સચિવ સાથે મળીને કોરોના વાયરસ કેસ પર દેશ અને દુનિયાભરમાં આવેલા કેસોની સમિક્ષા બેઠક કરી.
દેશમાં કોરોનાની સ્પીડ થઈ બેકાબુ
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા મળ્યાં વૈજ્ઞાનિકો અને ડોક્ટરોને
કહ્યું- જીનોમ સિક્વન્સિંગ વધારવાની જરુર
દેશમાં કોરોના વધતા સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા એક્શનમાં આવ્યાં છે. તેમણે આજે વૈજ્ઞાનિકો અને ડોક્ટરો સાથે એક મોટી બેઠક કરી હતી. વૈશ્વિક આંકડાઓનો અભ્યાસ કર્યા બાદ સ્વાસ્થ્ય મંત્રીએ નિર્દેશ આપ્યા છે કે દેશમાં કોરોના વાયરસના કેસોની જીનોમ સિક્વન્સિંગ વધારવી જોઈએ. સાથે જ જે જિલ્લાઓમાંથી વધુ કેસ સામે આવી રહ્યા છે ત્યાં પણ સર્વેલન્સ સઘન બનાવવું જોઈએ. હાલમાં ભારતમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાંથી સામે આવી રહ્યા છે.
Union Health Minister Mansukh Mandaviya held meeting with experts & officials amid rise in Covid cases in some states. He stressed on focusing on districts reporting high case positivity & undertake adequate testing with higher proportion of RTPCR tests: MoHFW
સમીક્ષા બેઠકમાં આરોગ્ય મંત્રીની સાથે એઈમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયા પણ હાજર રહ્યા હતા. જેની મુદત આજે 3 મહિના વધારવામાં આવી છે. આ ઉપરાંત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર ડો.અજય સૂદ, આયુષ સચિવ વૈદ્ય રાજેશ કોટેચા, એનસીડીસી એટલે કે ચેપી રોગો વિભાગના નિયામક ડો.સુજીતસિંહ અને કોરોનાવાયરસ વેક્સિન ટાસ્ક ફોર્સના વડા ડો.એન.કે.અરોરા પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
ચોથી લહેરના એેંધાણ
ભારતમાં કોરોનાની ચોથી લહેર શરુ થઈ હોવાની શક્યતા છે. દેશમાં હાલમાં કોરોના વાયરસના કુલ દર્દીઓની સંખ્યા 83,990 છે. ગુરુવારે 13,313 કેસ નોંધાયા હતા. છેલ્લા એક મહિનાથી કોરોના વાયરસના કેસોની સંખ્યા 10 હજારથી વધુ ચાલી રહી છે. જ્યારે અગાઉ આ કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. જો કે આને કોરોના વાયરસની ચોથી લહેર માનવામાં આવતી નથી, પરંતુ વધતા જતા કેસો પર લગામ લગાવવાની સરકારની ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી છે.
Further, Union health minister directed the officials to continue to focus on surveillance and on Whole Genome Sequencing (WGS) to scan for any possible mutation along with increasing the pace of vaccination: MoHFW
મંત્રીઓએ અધિકારીઓને આપ્યા ખાસ નિર્દેશ
મંત્રીએ અધિકારીઓને કોઈપણ સંભવિત પરિવર્તન માટે સ્કેન કરવા માટે દેખરેખ અને સંપૂર્ણ જીનોમ સિક્વન્સિંગ (WGS) પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે અધિકારીઓને COVID-19 અને SARI/ILI કેસોને કારણે હોસ્પિટલમાં દાખલ થવા પર દેખરેખ રાખવાનો પણ નિર્દેશ આપ્યો હતો. તેમણે ઉચ્ચ કેસો નોંધાતા જિલ્લાઓમાં બૂસ્ટર ડોઝ સહિત રસીકરણની ગતિ વધારવા માટે તેમને પ્રોત્સાહિત કરીને લાયક અને નબળા જૂથોમાં રસીકરણની ઝડપી વધારવાની તથા રસીનો બગાડ ન થાય તે જોવાની પણ ખાસ સૂચના આપી હતી.