કેન્દ્ર સરકારે ગુજરાતને એક નવી રેલવેની ભેટ આપી છે. સરકારે તારંગા હિલ-અંબાજી-આબુ રોડ નવી રેલ લાઈનને મંજૂરી આપી છે.
ગુજરાત માટે કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય
તારંગા હિલ-અંબાજી-આબુ રોડ નવી રેલ લાઈનને આપી મંજૂરી
નવી રેલના બાંધકામ માટે થશે 2798.16 કરોડનો ખર્ચ
2026-27 સુધીમાં પૂર્ણ થશે
ગુજરાત અને રાજસ્થાનના યાત્રાધામ જોડાશે
બાંધકામમાં 40 લાખ લોકોને મળશે રોજગારી
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આપી માહિતી
ગુજરાતને એક નવી રેલની ભેટ મળી છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં તારંગા હિલ-અંબાજી-આબુ રોડની નવી રેલને મંજૂરી આપી દેવામાં આવી છે. બેઠક બાદ મીડિયા બ્રીફિંગમાં અનુરાગ ઠાકુરે જણાવ્યું કે નવી રેલ લાઈનનો અંદાજિત ખર્ચ 2798.16 કરોડ થશે અને તે 2026-27માં બંધાઈને પૂર્ણ થઈ જશે.
રાજસ્થાન અને ગુજરાતના મહત્વના સ્થળો જોડાશે- અનુરાગ ઠાકુર
અનુરાગ ઠાકુરે કહ્યું કે આ નવી રેલવે લાઇન ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં રહેતા નાગરિકોને સુવિધા પૂરી પાડશે તે ઉપરાંત તે રાજસ્થાન અને ગુજરાતના મહત્વના સ્થળોને જોડવાનું કામ કરવામાં આ
Union Cabinet approves Taranga Hill-Ambaji-Abu Road new rail line to provide connectivity and improve mobility. The estimated cost of this project is Rs. 2798.16 crores and will be completed by 2026-27: Union Minister Anurag Thakur pic.twitter.com/O2pt0Nda2J
શું લાભ થશે
- શહેરો વચ્ચે જોડાણ વધશે અને લોકોની સરળતાથી અવરજવર થઈ શકશે
- રોકાણને આકર્ષિત કરશે અને સામાજિક આર્થિક વિકાસ વધશે
- બાંધકામ દરમિયાન 40 લાખ પુરુષોને દિવસની રોજગારી મળશે
- બે યાત્રીધામ, અંબાજી શક્તિપીઠ અને અજિનાથ જૈન મંદિર વચ્ચેનું જોડાણ વધશે
- કૃષિ અને સ્થાનિક ઉપજોની ઝડપી અવરજવર
- અમદાવાદ-આબુ રોડ રેલવે લાઈન પર વૈકલ્પિક રુટ મળશે
इस नई रेलवे लाइन से गुजरात और राजस्थान के सीमांत क्षेत्र में रहने वाले नागरिकों को सुविधा मिलेगी। राजस्थान और गुजरात के महत्वपूर्ण स्थान को इससे जोड़ने का काम किया जाएगा: केंद्रीय मंत्री अनुराग ठाकुर, दिल्ली
શું છે નવો રેલવે પ્રોજેક્ટ?
તારંગા હિલ- અંબાજી-આબુ રોડ રેલવે લાઈનની ઘણા લાંબા સમયથી માગ હતી. અંબાજી મુખ્ય યાત્રાધામ છે. સાથે જ આબુમાં પણ મોટી સંખ્યામાં લોકો પહોંચે છે. સાથે જ ગુજરાતનું તારંગા પણ ખૂબ જ પ્રસિદ્ધ તીર્થસ્થાન છે. કેબિનેટના નિર્ણય મુજબ આ ત્રણેય સાઈટને રેલવે નેટવર્ક સાથે જોડવામાં આવશે. આ લાઇન 116 કિમી લાંબી હશે. આ પ્રોજેક્ટથી 40 લાખ લોકોને રોજગારી મળશે. આનાથી મહેસાણા પાલનપુરની મુખ્ય લાઇન અને ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પરના દબાણમાં પણ ઘટાડો થશે.