ભારત જોડો યાત્રા મંગળવારે ઉજ્જૈન પહોંચી હતી. ત્યાં કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી મહાકાળનાં મંદિર પહોંચ્યાં અને પૂજા- અર્ચના કરી હતી. રાહુલે ઘણો સમય મંદિરમાં વ્યતિત કર્યો અને અનુષ્ઠાન પૂરાં કર્યાં. આ પહેલાં પણ રાહુલ ગાંધી 23 નવેમ્બરનાં રોજ ઓમ્કારેશ્વરનાં મંદિરમાં પહોંચ્યાં હતાં અને જ્યોતિર્લિંગનાં દર્શન કર્યાં હતાં. રાહુલે સાત દિવસની અંદર ઉજ્જૈન અને ખંડવામાં જ્યોતિર્લિંગોનાં દર્શન કર્યાં હતાં.
રાહુલ ગાંધી પહોંચ્યા મહાદેવનાં મંદિર
સાત દિવસની અંદર 2 વખત મહાદેવનાં ચરણે રાહુલ ગાંધી
ઉજ્જૈનમાં મહાકાળનાં મંદિરમાં વિધિ-વિધાનની સાથે કરી પૂજાં
કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ મંગળવારે મધ્યપ્રદેશનાં ઉજ્જૈનમાં ભગવાન શિવનાં પ્રસિદ્ધ મહાકાળનાં મંદિરમાં વિધિ-વિધાનની સાથે પૂજાં કરી હતી. રાહુલે લાલ રંગની ધોતી પહેરી હતી. તેમણે મંદીરનાં પુજારીઓનાં માર્ગદર્શનમાં અનુષ્ઠાન કર્યું હતું. મંદિરનાં પૂજારીઓએ તેમને એક શૉલ પણ ગિફ્ટ કરી. અનુષ્ઠાન કર્યાં બાદ રાહુલ ગાંધીએ મંદિરનાં ગર્ભગૃહની સામે દંડવત પ્રણામ પણ કર્યાં. તે મંદિર પરિસરમાં નંદીની મૂર્તિ પાસે પણ થોડી ક્ષણો બેઠાં હતાં.
12 पवित्र ज्योतिर्लिंगों में से एक उज्जैन के महाकालेश्वर मंदिर में आज राहुल गांधी ने भगवान शिव की उपासना की और ज्योतिर्लिंग पर दुग्धाभिषेक किया। #BharatJodoYatrapic.twitter.com/4winC8muP0
ત્યારબાદ મહાવીરની તપોભૂમી પણ પહોંચ્યાં
મહાદેવનાં દર્શન કર્યાં બાદ રાહુલ ગાંધી ઉજ્જૈન સ્થિત શ્રી દિગંબર જૈન સિદ્ધ ક્ષેત્ર શ્રી મહાવીર તપોભૂમી પણ પહોંચ્યાં હતાં. ત્યાં તેમણે જૈન ધર્મગુરૂઓનાં દર્શન કર્યાં અને આશીર્વાદ લીધાં. રાહુલે અહીં આરતી પણ કરી અને થોડો સમય ત્યાં પણ રહ્યાં.
जैन धर्म प्रतीक है अहिंसा और शांति का।
राहुल गांधी ने आज भारत जोड़ो यात्रियों के साथ दिगंबर जैन सिद्ध क्षेत्र श्री महावीर तपोभूमि के दर्शन किए।#BharatJodoYatrapic.twitter.com/wDzMhpfy7o
23 નવેમ્બરનાં ઓમ્કારેશ્વર મંદિર પહોંચ્યા હતાં રાહુલ
ભારત જોડો યાત્રા અંતર્ગત 23 નવેમ્બરનાં મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશમાં તેઓ પહોંચ્યાં હતાં. આ 7 દિવસોમાં રાહુલ ગાંધી ભગવાન શિવને સમર્પિત જ્યોતિર્લિંગ મંદિરમાં બીજી વખત પહોંચ્યા હતાં. આ પહેલા જ્યારે 23 નવેમ્બરનાં તેમની ભારત જોડો યાત્રા મધ્યપ્રદેશ પહોંચી હતી ત્યારે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને પરિવારનાં સદસ્યો ખંડવા જિલ્લાનાં પ્રસિદ્ધ ઓમ્કારેશ્વર મંદિર પહોંચ્યાં હતાં. ત્યાં બ્રહ્મપુરી ઘાટમાં મા નર્મદાની આરતીમાં તે જોડાયા હતાં. રાહુલે દેશનાં 12 જ્યોતિર્લિંગમાંથઈ એક પ્રસિદ્ઘ શિવ મંદિરમાં આરતી અને પૂજાં કરી હતી.