મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે આજે 61 વર્ષના થયા અને આ જન્મદિન પર તેઓ કોઈ પણ પ્રકારની ઉજવણી નહીં કરે.
ઉદ્ધવ ઠાકરેની આજે વર્ષગાંઠ
શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કરી આ વાત
શરદ પવારે આ નિવેદન પર આપી પ્રતિક્રિયા
ઉદ્ધવ ઠાકરેની આજે વર્ષગાંઠ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે આજે 61 વર્ષના થયા અને આ જન્મદિન પર તેઓ કોઈ પણ પ્રકારની ઉજવણી નહીં કરે. આ પાછળનું કારણ મહારાષ્ટ્રના 6 જિલ્લામાં આવેલ પૂર અને ભારે વરસાદ છે પણ રાજકીય નેતાઓ અને સામાજિક કાર્યકર્તાઓ જન્મદિવસની શુભકામનાઓ આપી રહ્યા છીએ. સાથે જ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને વિધાનસભામાં ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ દ્વારા પણ ઉદ્ધવ ઠાકરેને જન્મદિવસની શુભકામના પાઠવતા તેમના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી છે.
શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કરી આ વાત
ઉદ્ધવ ઠાકરેના જન્મદિવસના દિવસ પર શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે ઉદ્ધવ ઠાકરેની જોરદાર તારીફ કરી છે. સંજય રાઉતે આ મુદ્દે કહ્યું, ઉદ્ધવજી બધાને સાથે લઈને ચાલવા વાળા નેતા છે. ઉદ્ધવજીનું નેતૃત્વ રાષ્ટ્રનું નેતૃત્વ પણ કરી શકે તેવું છે. સંજય રાઉતના આ નિવેદન બાદ રાજનૈતિક પ્રતિક્રિયા પણ સામે આવવા લાગી છે. જ્યારે સંજય રાઉતને પૂછવામાં આવ્યું કે શું તે દેશના પ્રધાનમંત્રી બનશે કે નહિ, આ સવાલના જવાબમાં સંજય રાઉતે કહ્યું કે એ તો આગળ જોઈએ છીએ.
શરદ પવારે આ નિવેદન પર આપી પ્રતિક્રિયા
NCP પપ્રમુખે પણ કહ્યું કે "મને ખુશી છે કે કોઈ પણ મહારાષ્ટ્રનો વ્યક્તિ દેશનું નેતૃત્વ કરશે તો એ મારા માટે એકદમ ખુશીની વાત છે. વધુમાં તેમણે ઉદ્ધવ ઠાકરેના કામ કાજના વખાણ કર્યા અને તેમના કામ પ્રત્યે સંતોષ પણ વ્યકત કર્યો, સાથે જ તેમણે ભાજપ પર પ્રહાર પર કહ્યું કે, પૂરના કારણે ઘણાં લોકો હજુ મદદની આશાએ છે, લોકો પોતાના વિશે વિચારી રહ્યા છે, એટલે પહેલા એ લોકોની મદદ કરવી જરૂરી છે. આ જન્મદિન પર તેઓ કોઈ પણ પ્રકારની ઉજવણી નહીં કરે, કારણકે મહારાષ્ટ્રના 6 જિલ્લામાં આવેલ પૂર અને ભારે વરસાદ છે અને હજુ પણ સ્થિતિ સામાન્ય થતી જણાઈ રહી છે.