રાજ્યમાં ઉતરાયણના પર્વની ધુમધામથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વખતે પતંગોમાં અલગ-અલગ વેરાયટી જોવા મળશે. જેમાં સૌથી વધુ CAA અને NRCના પતંગો જોવા મળશે. રવિવારે સુરતમાં CAAના સર્થનના પતંગો ઉડાવામાં આવ્યાં. મોટી સંખ્યામાં યુવકોએ I SUPPORT CAAના ટીશર્ટ પહેરી યુવકોએ પતંગો ઉડાવ્યા હતા. ત્યારે ઉત્તરાયણ પર સુરક્ષા મામલે સુરત પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. બીજી તરફ સેવાભાવી સંસ્થાઓએ પક્ષીઓને બચાવવા માટે હેલ્પલાઇન નંબર પણ શરૂ કર્યા છે.
ઉત્તરાયણને લઈને પતંગ રસિકોમા ઉત્સાહ
સુરક્ષા મામલે સુરત પોલીસે જાહેરનામું બહાર પાડ્યું
આ હેલ્પલાઇન નંબર પર ફોન કરી પક્ષી બચાવો
ઉત્તરાયણ પર સુરક્ષા મામલે સુરત પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. સુરતમાં તમામ ઓવર બ્રિજ પર ટુવ્હીલર ચાલકોને પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. બે દિવસ માટે શહેરના તમામ ઓવર બ્રિજ પર ટુ-વ્હીલર લઈને નહીં જઈ શકાય. 14 અને 15 જાન્યુઆરીએ આ પ્રતિબંધ રહેશે. લોકોને ઉત્તરાયણ પર ગળામાં દોરી ન વાગે અને કોઈ જાનહાનિ ન થાય તે માટે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ હેલ્પલાઇન નંબર પર ફોન કરી પક્ષી બચાવો
દાન-પુણ્યના પર્વ મકરસક્રાંતિએ અબાલવૃદ્ધ સૌ પતંગ ચગાવવાતાં હોય છે. આ પતંગની ધારદાર દોરીથી સેંકડો પક્ષીઓની જીવાદોરી કપાઇ જાય છે. ત્યારે પતંગની દોરીથી ઘાયલ થયેલાં પક્ષીઓને બચાવવા માટે સુરતની પક્ષીપ્રેમી સંસ્થાઓએ ઇજાગ્રસ્ત પક્ષીઓને બચાવવા કંટ્રોલરૂમ અને હેલ્પ લાઇન નંબર શરૂ કર્યા છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ હેલ્પલાઇન સેવા શરૂ કરાઇ છે. હેલ્પલાઇન નંબર 1962 પર કોલ કરીને તમે ઇજાગ્રસ્ત પક્ષીની સારવાર માટે ફોન કરી શકો છો.