ધસમસતા વહેણમાં વડોદરાના નારેશ્વર પાસે નર્મદા નદીમાં 5 નહાવા પડેલા યુવકો નદીના પ્રવાહમાં તણાયા હતા જેમાંથી 2 યુવકના ડુબી જવાથી મોત થયા હતા. આ દુર્ઘટનાને પગલે આખા પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. બે એક જ ગામના યુવાનોના મોતને પગલે કૌસંબામાં માતમનો માહૌલ સર્જાયો હતો.
3 યુવકોને સ્થાનિક લોકોએ બહાર કાઢ્યા
બંન્ને યુવકો કોસંબાના હોવાનુ આવ્યું સામે
પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
વડોદરાના નારેશ્વર પાસે નર્મદા નદીમાં ડૂબી જવાથી બે યુવકના મોત નિપજ્યા છે. બન્ને યુવકો કોસંબાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. વેકેશન હોવાથી નર્મદા નદીમાં ન્હાવા માટે 5 યુવકો ગયા હતા. જેમાંથી 3 યુવકને સ્થાનિક લોકોએ બચાવી લીધા હતા. તો 2 યુવકના ડૂબી જવાથી મોત નિપજ્યા છે.
ડુબનારા બંને યુવાનો કૌસંબાના હોવાનું માલૂમ પડ્યુ
વેકેશન હોવાથી 5 મિત્રો નદીમાં નહાવા આવ્યા હતા. પણ પ્રવાહમાં તણાયા હતા. સ્થાનિક લોકોએ 3 યુવકોને તો બચાવી લીધા હતા પરંતુ બે યુવકોને બચાવી શકાયા ન હતા. નર્મદામાં ડુબી જનારા બંને યુવાનો કોસંબાના હોવાનું માલૂમ પડ્યુ છે.
પોલીસે કાનૂની કાર્યવાહી હાથ ધરી
પોલીસ કાફલો ઘટનાની જાણ થતાં જ સ્થળ ઉપર પહોંચી ગયો હતો. તુંરત જ મૃતકોની શોધખોળ થઈ હતી અને આ અંગે તેમના પરિવારને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાનુની તપાસ હાથ ધરી છે.