માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરે પોતાના જૂન મહિનાના રિપોર્ટ જાહેર કર્યા છે. કંપનીએ જૂન મહિનામાં ફરિયાદો પર થયેલી કાર્યવાહીને લઈને રિપોર્ટ જાહેર કર્યો છે.
માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે આટલા અકાઉન્ટ હટાવ્યા
આ આરોપસર ટ્વિટરે કરી છે કાર્યવાહી
ખાલી જૂન મહિનામાં આટલા અકાઉન્ટ પર થઈ કાર્યવાહી
માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરે પોતાના જૂન મહિનાના રિપોર્ટ જાહેર કર્યા છે. કંપનીએ જૂન મહિનામાં ફરિયાદો પર થયેલી કાર્યવાહીને લઈને રિપોર્ટ જાહેર કર્યો છે. કંપનીએ ખાલી જૂનમાં જ 43140 થી વધારે અકાઉન્ટ પર નિયમોનું ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં સૌથી વધારે 536 કેસ અબ્યૂઝ અને હેરાસમેંટ સાથે જોડાયેલ છે. જ્યારે 134 દુર્ભાવના અને નફરતને પ્રોત્સાહન આપનારા હતા.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ટ્વિટરે યૌન હિંસા, ન્યૂડિટી અને તેની સાથે જોડાયેલ કેસને લઈને 40,982 અકાઉન્ટ્સને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી દીધા છે. જ્યારે તેમાંથી 2158 અકાઉન્ટ આ આરોપને લઈને હટાવામાં આવ્યા હતા કે, તે હિંસા અને આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યા હતા. ભારત તરફથી ટ્વિટરને 724 ફરિયાદ મળી હતી. આ ફરિયાદ ટ્વિટર દ્વારા બનાવામાં આવેલા સ્થાનિક મિકેનિઝ્મ દ્વારા મળી હતી. 26 મે 2022થી લઈને 25 જૂન 2022ની વચ્ચે મળેલી ફરિયાદના આધારે ટ્વિટરે કાર્યવાહી કરી છે. ટ્વિટરે કુલ 122 URLs પર એક્શન લીધી છે.
એક પણ અકાઉન્ટ રિઓપન થયું નથી
ટ્વિટરે અકાઉન્ટ સસ્પેન્શન ખતમ કરવાની કુલ 52 ફરિયાદો મળી હતી, પણ તેના પર કોઈ કાર્યવાહી કરી નથી. માઈક્રોબ્લોગિંગ સાઈટે આ કોઈ પણ ફરિયાદ પર અમલ નથી કર્યો અને કોઈ પણ અકાઉન્ટને ઓપન નથી કર્યું. રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું છે કે, આ પીરિયડ દરમિયાન ટ્વિટરને 2 રિક્વેસ્ટ મળી હતી. બંને જનરલ રિક્વેસ્ટ હતી.