એન્ઝાઈટીથી લડવું મોટો પડકાર છે પરંતુ દુનિયાના ટોપ ન્યૂરોસાયન્ટિસ્ટે એક એવી ટ્રિક જણાવી છે કે તે પોતાની એન્ઝાઈટીને પોતાની સુપરપાવરમાં બદલી દેશે.
એન્ઝાઈટીથી ભાગો નહીં
તેને સુપરપાવર બનાવો
જાણો શું કહે છે જાણીતા ન્યૂરો સાયન્ટિસ્ટ
એન્ઝાઈટી, ડિપ્રેશન, સ્ટ્રેસ એવી સમસ્યાઓ છે. જેનાથી આજના સમયમાં કદાચ જ કોઈ બચી શક્યું હોય. આ સમસ્યાઓ મનુષ્યના જીવનને ઘણું નુકસાન પહોંચાડે છે. તે ન ફક્ત મનુષ્યના મેન્ટલ હેલ્થ પર અસર કરે છે. પરંતુ તેના દ્વારા જીવનના લગભગ દરેક પાસાઓને ડેમેજ કરે છે. દુનિયાના ફેમસ ન્યુરોસાયન્ટિસ્ટ વેન્ડી સુઝુકીએ એન્ઝાયટીને સુપરપાવરમાં બદલવાની સોલિડ રીત શેર કરી છે. આ રીતો અપનાવીને વ્યક્તિ ન ફક્ત પહેલાથી વધારે મજબૂત થઈ જાય છે પરંતુ તે પોતાના જીવનને વધુ સારી રીતે જીવી શકે છે.
સૌથી પહેલા જાણો ટ્રિગર્સ
એક રિપોર્ટ અનુસાર ડૉ. વેંડી સુઝુકી કહે છે સૌથી પહેલા આ કારણોને શોધો જે તમારા માટે એન્ઝાઈટીનું કારણ બને છે. પોતાના ટોપ 5 ટ્રિગર્સ લખો, તેની સાથે જ તેના કારણો લખો. ઉદાહરણ તરીકે તમારી એન્ઝાઈટી પાછળનું કારણ પૈસા અથવા સોશિયલ પ્રેઝન્સ છે તો તેના પાછળનું એ કારણ લખો. જેણે તમને આ એન્ઝાઈટી આપી. જેવું કે પૈસાની કમીની પાછળ પેરેન્ટ્સના નકારાત્મક વિચાર અથવા સ્કૂલના દિવસોમાં કરવામાં આવેલી કોઈ ઈન્સલ્ટ, તેનાથી તમને અંતર્મુખી બનાવી દીધા.
એન્ઝાઈટીને બદલો પોઝિટિવ એક્શનમાં
ડૉ. વેંડી કહે છે કે એન્ઝાઈટી થવી સ્વાભાવિક વાત છે પરંતુ તેના કારણે પોતાનું નુકસાન થવા દેવું ખોટી વાત છે. ત્યાં જ એન્ઝાઈટીને હથિયાર બનાવીને પોતાના જીવનને સારૂ બનાવવું, પોતાના લક્ષ્યોને મેળવવા તેની સામે લડવા માટેની સૌથી સારી રીત છે. તેના માટે તેમણે અમુક એક્સરસાઈઝ જણાવી છે. જેને દિવસમાં ઓછામાં એછી એક વખત કરવી જોઈએ.
પોતાની કોઈ એક એન્ઝાઈટી પર ફોકસ કરો. જેવી કે- તમને બધાની વચ્ચે બોલવાનો ડર લાગે છે.
પછી 5 મિનિટ સુધી પોતાના શ્વાસ પર ફોકસ કરો.
ત્યાર બાદ પોતાની આંખોને બંધ કરી એ વિશે વિચારો કે તે એટલી સારી પબ્લિક સ્પિચ આપી કે બધા લોકો તમારા વખાણ કરવા લાગ્યા. છેલ્લે જોરથી બોલો કે 'બધા લોકો મારી સ્પીચ બાદ મને સાબાસી આપી રહ્યા છે.'
આ રીતે તમારી દરેક એન્ઝાઈટી સાથે જોડાયેલા દરેક આઉટકમ વિશે વિચારો જે તમે હકીકતમાં મેળવવા માંગો છો. જેવી કે મારી પાસે હંમેશા પૈસા ઓછા રહે છે આ એન્ઝાઈટીના બદલામાં વિચારો કે તમે ખૂબ જ અમીર છો અને કંઈ પણ ખરીદી શકો છો.
આ રીતે આ એક્સરસાઈઝ તમને તમારા લક્ષ્યોને મેળવવા માટે પ્રેરિત કરશે. સાથે જ તમને સકારાત્મકતા માટે એક અલગ જ અહેસાસથી ભરી દેશે. ત્યાં જ જ્યારે પણ કોઈ એન્ઝાઈટી તમને સતાવે તો તરત તમે કોઈ એક એવી ઘટના કે વસ્તુ વિશે વિચારો જે તમને ખુશી આપે. તમે એ લોકોને થેન્ક્સ મેસેજ પણ મોકલી શકો છો. જેમણે તમારી ક્યારેકને ક્યારેક મદદ કરી હોય. અચાનકથી તમારો મેસેજ જોઈને તે ખૂબ જ ખુશ થઈ જશે અને આ ખુશી તમને પણ ખૂબ જ ખુશી આપશે.