આજે ગુરૂપૂર્ણિમા અને ચંદ્રગ્રહણનો વિશેષ સંયોગ સર્જાયો છે. શાસ્ત્ર પ્રમાણે રાત્રે 1 કલાકને 48 મિનિટથી ગુરૂપૂર્ણિમાનો પ્રારંભ થશે. જે 16 જુલાઈની રાતે 3 કલાકને 7 મિનિટ સુધી ચાલશે. 149 વર્ષબાદ આજે ગુરૂપૂર્ણિમા અને ચંદ્રગ્રહણનો યોગ સર્જાયો છે. 12 જુલાઈ 1870 બાદ ફરી આજે વિશેષ યોગ સર્જાયો છે.
આજે રાત્રે દોઢ વાગ્યાથી લઈને બીજા દિવસે સવારે સાડા ચાર વાગ્યા સુધી ચંદ્રગ્રહણ રહેશે. પ્રાપ્ત મળતી માહિતી મુજબ વર્ષ 2019નું આ છેલ્લું ચંદ્રગ્રહણ છે. જો કે હિંદુ પરંપરામાં ગુરૂની પૂજા માટે ગુરુપૂર્ણિમાના દિવસનું ખાસ મહત્વ છે. આ દિવસે ખાસ ગુરુની પૂજા કરવામાં આવે છે. આથી રાજ્યભરમાં ઠેરઠેર વ્યાસપીઠ રચીને પૂજા-અર્ચના કરવામાં આવશે.
પરંતુ ચંદ્રગ્રહણ હોવાથી આ દિવસે બપોરે સાડાચાર પહેલાં તમામ પૂજા-પાઠ પૂર્ણ કરી દેવામાં આવશે. ત્યાર પછી સુતક કાળ શરૂ થતો હોવાથી પૂજાપાઠ થઈ શકશે નહિ. ભારતમાં સ્પષ્ટપણે ચંદ્રગ્રહણ માણી શકાશે. ભારત સિવાય ઓસ્ટ્રેલિયા, એશિયા, યુરોપ અને દક્ષિણ અમેરિકામાં પણ ચંદ્રગ્રહણ દેખાશે. આ અગાઉ 21 જાન્યુઆરીએ પૂર્ણ ચંદ્રગ્રહણ સર્જાયુ હતુ.
ભારતી આશ્રમમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી
આજે ગુરુપૂર્ણિમા છે. ગુરુપૂર્ણિમા એટલે કે જ્ઞાનનું પર્વ. ગુરુ વંદનાનો શ્રેષ્ઠ દિવસ એટલે ગુરુ પૂર્ણિમાં. ગુરુપૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્યના પવિત્ર સંબધો ગાઢ બનાવતું પર્વ. ત્યારે આજે સરખેજ ખાતે આવેલા ભારતી આશ્રમ ખાતે ભક્તો પહોંચ્યા છે અને ભારતી આશ્રમ ખઆતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી રહ્યા છે.
રાજકોટમાં અનેક ધાર્મિક સ્થાનો પર ગુરૂપૂર્ણિમાની ઉજવણી
રાજકોટમાં અનેક ધાર્મિક સ્થાનો પર આજે ગુરૂપૂર્ણિમાંની ઉજવણી કરવામાં આવી રહી છે. કુવાડવા રોડ પર રણછોડ દાસજી આશ્રમ ખાતે આજે ભક્તોની ભીડ લાગી છે. વહેલી સવારથી ભકતો રણછોડ જીના દર્શન કરવા માટે ઉમટયા છે. રણછોડ દાસજી આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાનું વિષેશ મહત્વ છે. 25000થી વધુ
શ્રાધ્ધળુઓ આજે રણછોડજીના દર્શન કરશે.
ગુરૂ પૂર્ણિમા નિમિત્તે બગદાણા ખાતે ભક્તો ઉમટ્યા
ગુરુપૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્યના પવિત્ર સંબધો ગાઢ બનાવતું પર્વ, ત્યારે ભાવનગરમાં આજે ગુરૂ પૂર્ણિમાં નિમિતે બગદાણા ખાતે ભક્તો ઉમટ્યા છે. આજે સવારના 5 વાગેયાથી મંગળા આરતીમાં માનવ મેહેરામણ ઉંમેળ્યો હતો. મંગળા આરતીના દ્રશન કરીને ધનયતા અનુભવી હતી.